News Continuous Bureau | Mumbai
Ahmedabad plane crash : ગુરુવારે, અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને અકસ્માત નડ્યો. જેમાં કુલ 265 લોકોના મોત થયા છે. મૃતકોમાં 10 ક્રૂ મેમ્બર્સ, 2 પાયલટ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં મેઘાણીનગર વિસ્તારમાં વિમાન ક્રેશ થયું અને એક મોટો વિસ્ફોટ થયો. તે એટલું ભયંકર હતું કે વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, અને મુસાફરોના મૃતદેહ ખરાબ હાલતમાં મળી આવ્યા. પરંતુ આ બધામાં એક ચમત્કારિક વાત સામે આવી છે. સર્ચ દરમિયાન, બચાવ ટીમને હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ ભગવદ ગીતા મળી છે. ખાસ વાત એ છે કે, ભગવદ ગીતા સંપૂર્ણપણે સલામત અને વાંચી શકાય તેવી સ્થિતિમાં છે.
Ahmedabad plane crash : ભગવદ ગીતા સંપૂર્ણપણે સલામત
A passenger aboard the ill-fated AirIndia flight was carrying a copy of the Bhagavad Gita. In a remarkable turn, the sacred book was found intact and unharmed amidst the wreckage at the crash site. 🙏 pic.twitter.com/VBu4jYuvIi
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 13, 2025
Ahmedabad plane crash : અકસ્માત સ્થળે બધું બળીને રાખ થઈ ગયું
સર્ચ દરમિયાન બચાવ ટીમને ભગવદ ગીતા મળી આવી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ મુસાફર આ પવિત્ર ગ્રંથને અમદાવાદથી લંડન લઈ જઈ રહ્યો હશે. હાલ આનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત સ્થળે કાટમાળમાંથી એક વ્યક્તિ ભગવદ ગીતાને કાઢી રહ્યો છે. તે ગીતાના પૃષ્ઠ પણ બતાવતો જોવા મળી રહ્યો છે. અકસ્માત સ્થળે બધું બળીને રાખ થઈ ગયું છે. પરંતુ ભગવદ્ ગીતાને કંઈ થયું હોય તેવું લાગતું નથી. વિમાનના બળી ગયેલા અને તૂટેલા ભાગો, રાખ અને કાદવમાંથી ભગવદ ગીતા સુરક્ષિત મળી આવી તે એક ચમત્કાર અને લોકોની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક બની ગયું છે. નેટીઝન્સે આ વીડિયોને ચમત્કાર ગણાવીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Air India Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ફક્ત 1 મુસાફર બચી ગયો; સીટ 11A લકી સાબિત થઇ, જાણો શું છે આ સીટની ખાસિયત?
Ahmedabad plane crash :અકસ્માત કેવી રીતે થયો?
આ ભયંકર અકસ્માત ત્યારે થયો જ્યારે લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન અમદાવાદથી ઉડાન ભરી રહ્યું હતું. થોડી જ સેકન્ડોમાં, વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલની દિવાલ સાથે અથડાયું. વિમાનમાં કુલ 242 મુસાફરો હતા. તેમાંથી 241 લોકોના મોત થયા. ચિત્કારી રીતે રમેશ વિશ્વકુમાર એકમાત્ર મુસાફર હતો જે અકસ્માતમાં બચી ગયો. તે ઈમરજન્સી એક્ઝિટ પાસેની સીટ પર બેઠો હતો. અકસ્માત પછી, તે કૂદી પડ્યો. એટલે બચી ગયો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)