News Continuous Bureau | Mumbai
UN Mehta Hospital: યુ.એન.મહેતા હોસ્પિટલ એ 2.5 વર્ષમાં 50 સફળ હૃદય પ્રત્યારોપણ કરવાનું મહાન સિદ્ધિ હાંસલ કર્યું. હૃદય રોગ સંભાળમાં ગુજરાત વધુ એકમાઈલસ્ટોન તરફ આગળ વધ્યું.
સાફળ્યની પાછળની મહેનત
UN Mehta Hospital એ સપ્ટેમ્બર 2022માં પ્રથમ સફળ ટ્રાન્સપ્લાન્ટ સાથે સફર શરૂ કરી. ડૉ. ચિરાગ દોશી એ “સ્વસ્થ ભારત” અભિયાનને સાર્થક કર્યું.આ હૃદય પ્રત્યારોપણ દર વિશ્વસ્તરે 92% જેટલો રહ્યો છે.
મુફ્ત અને સસ્તી સારવાર – PMJAY અને UNM ફાઉન્ડેશન
રાજ્ય સરકારની મદદથી ટૂંકા ગાળામાં 50 હૃદય પ્રત્યારોપણ પૂર્ણ કરનાર રાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સંસ્થા તરીકે પણ યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (UNMICRC) છે. જે હૃદય સંભાળમાં શ્રેષ્ઠતા અને પ્રતિબદ્ધતા માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે. સરકારીશ્રીની યોજનાઓ PMJAY-MA (આયુષ્માન ભારત) યોજનાઓ, UNM ફાઉન્ડેશન અને અન્ય ચેરીટેબલ સંસ્થાઓના સહયોગથી સમાજના નબળા વર્ગોને નાણાકીય સહાય પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં 96% દર્દીઓ વિનામૂલ્યે સારવાર મેળવી છે.