BIS Ahmedabad: BIS અમદાવાદે પીવીસી કેબલ ઇન્ડસ્ટ્રીઝના ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ માટે કર્યું આ કોર્સનું આયોજન.

BIS Ahmedabad: BIS અમદાવાદ દ્વારા પીવીસી કેબલ ઇન્ડસ્ટ્રીઝના ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ માટે બે દિવસીય કેપ્સ્યુલ કોર્સનું આયોજન

by Hiral Meria
BIS Ahmedabad organized a two-day capsule course for Quality Control personnel of PVC Cable Industries

 News Continuous Bureau | Mumbai

BIS Ahmedabad: ભારતીય માનક બ્યુરો ( BIS ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

BIS એ ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ ( Quality control personnel ) અને સરકારી અધિકારીઓ માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે જેથી અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓના વધુ અસરકારક અમલીકરણ માટે ગુણવત્તાની ખાતરી મળે.

ભારતીય માનક બ્યુરો અમદાવાદ દ્વારા પીવીસી કેબલ ઇન્ડસ્ટ્રીઝના ( PVC Cable Industries ) ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ માટે બે દિવસીય કેપ્સ્યુલ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન 25મી અને 26મી સપ્ટેમ્બર 2024ના રોજ BIS અમદાવાદની ઓફિસમાં કરવામાં આવ્યું હતું. BIS લાયસન્સ ધરાવતા પીવીસી કેબલ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદકોના લગભગ 16 ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓએ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ભારતીય માનક બ્યુરો અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગર એ તમામ સહભાગીઓને આવકાર્યા અને BIS, અમદાવાદ દ્વારા આયોજિત કેપ્સ્યુલ કોર્સ ( Capsule course ) વિશે ટૂંકમાં માહિતી આપી.તેમણે એ પણ માહિતી આપી હતી કે આ કેપ્સ્યુલ કોર્સ ઉદ્યોગના કર્મચારીઓને તેમના ઉત્પાદનની ગુણવત્તા જાળવી રાખવામાં મદદ કરશે.

ભારતીય માનક બ્યુરોના પ્રતિનિધિઓ દ્વારા ભારતીય માનક બ્યુરોનીપ્રવૃત્તિઓ પર લેવામાં આવેલી તાજેતરની પહેલો ઉપર સંક્ષિપ્ત પ્રસ્તુતિ આપવામાં આવી હતી. પીવીસી કેબલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગો માટે માનકો અને નિરીક્ષણ અને પરીક્ષણની યોજના પર વિગતવાર રજૂઆત શ્રી રાહુલ પુષ્કર, ઉપ નિદેશક BIS દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને ઇન્ટરેક્ટિવ બનાવવા માટે માનકોને લગતી પ્રવૃત્તિઓ અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad Khadi Bhavan: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ સંચાલિત ખાદી ભવનનું કર્યું ઉદ્ઘાટન.

કાર્યક્રમના બીજા દિવસે, ગાંધીનગરના ચંદ્રેશ કેબલના એકમ AVOCAB ખાતે સહભાગીઓને પરીક્ષણનો વ્યવહારુ અનુભવ પૂરો પાડવા માટે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. AVOCAB ની ટીમે માનકો મુજબ સમજાવ્યું અને પરીક્ષણ કર્યું. કાર્યક્રમ પછી AVOCAB ની  ટીમ સાથે  BIS અધિકારીઓ સાથે સહભાગીઓના વિસ્તૃત ઇન્ટરેક્ટિવ સત્ર દ્વારા અનુસરવામાં આવ્યું હતું અને પ્રમાણભૂત અને પરીક્ષણ પદ્ધતિઓ સંબંધિત ઘણી શંકાઓ અને પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

BIS અમદાવાદના ઉપ નિદેશક શ્રી રાહુલ પુષ્કરએ તમામ પ્રેક્ષકોનો તેમની સક્રિય ભાગીદારી બદલ આભાર માન્યો હતો. તેમણે BISની અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓ દ્વારા આપણા દેશના ગુણવત્તા માળખાને જાળવવામાં ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓની ભૂમિકાની પ્રશંસા કરી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More