Site icon

Express Train: જયપુર મંડળના ગાંધીનગર સ્ટેશન પર બ્લોકને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

Express Train: ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર મંડળ પર ગાંધીનગર સ્ટેશનના મેજર અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત ગાંધીનગર યાર્ડ કિમી 235/22-30 પર એર કોન્કોર્સ ગર્ડર લોન્ચીંગ કરવા માટે 9 જૂન 2024ના રોજ બ્લોક લેવામાં આવી રહ્યો છે

Due to block at Gandhinagar station of Jaipur Mandal some trains of Ahmedabad Mandal will run on diverted route.

Due to block at Gandhinagar station of Jaipur Mandal some trains of Ahmedabad Mandal will run on diverted route.

News Continuous Bureau | Mumbai 

Express Train:  ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર મંડળ ( Jaipur Mandal ) પર ગાંધીનગર સ્ટેશનના મેજર અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત ગાંધીનગર યાર્ડ કિમી 235/22-30 પર એર કોન્કોર્સ ગર્ડર લોન્ચીંગ કરવા માટે  9 જૂન 2024ના રોજ બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ મંડળથી ( Ahmedabad Mandal ) ઉપડતી કેટલીક ટ્રેનો  ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:- 

Join Our WhatsApp Community
  1. 8 જૂન, 2024 ના રોજ, ભુજથી ઉપડતી ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ ( Bhuj-Bareilly Express Train ) તેના નિર્ધારિત રૂટ ફૂલેરા-જયપુર-અલવર-રેવાડીના બદલે ડાયવર્ટ કરાયેલા ફૂલેરા-રિંગસ -રેવાડી પરથી દોડશે અને આ ટ્રેનને રિંગસ, નીમ કા થાના અને નારનોલ સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
  2. 8 જૂન, 2024 ના રોજ, વારાણસીથી ઉપડતી ટ્રેન નંબર 19408 વારાણસી-સાબરમતી એક્સપ્રેસ ( Varanasi-Sabarmati Express Train ) તેના નિર્ધારિત રૂટ રેવાડી-અલવર-જયપુર-ફૂલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ રેવાડી-રીંગસ-ફુલેરા થઈને દોડશે અને આ ટ્રેનને રિંગસ, નીમ કા થાના, નારનોલ અને ફૂલેરા સ્ટેશન પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
  3. 8 જૂન, 2024 ના રોજ, પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ફુલેરા-જયપુર-અલવર-રેવાડીને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે અને આ ટ્રેનને રિંગસ, નીમ કા થાના અને નારનોલ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.
  4. 9 જૂન, 2024 ના રોજ, બરેલીથી ઉપડતી ટ્રેન નંબર 14321 બરેલી-ભુજ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રેવાડી-અલવર-જયપુર-ફુલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ રેવાડી-રીંગસ-ફૂલેરા થઈને દોડશે અને આ ટ્રેનને નારનોલ, નીમ કા થાના અને રિંગસ સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  EPFO Rule Change: EPFOએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે PF ખાતાધારકના મૃત્યુ બાદ નોમિનીને સરળતાથી મળશે પૈસા..

ટ્રેનોના સ્ટોપેજ ( Train stoppage ) , સંરચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની વિઝીટ લઈ શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Raj Thackeray: મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ: રાજ-ઉદ્ધવ ઠાકરેની માંગથી નગર નિગમની ચૂંટણીઓ પર સવાલ, શું સરકાર માનશે?
Naxalite Commander Sonu: ગઢચિરોલીમાં મોટો બનાવ: કુખ્યાત નક્સલી કમાન્ડર સોનુએ 60 સાથીઓ સાથે CM ફડણવીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ.
MNS Dabangai: ઑફિસમાં મહિલા સાથે MNS નેતાની મારપીટ: ઘટનાનો વિડીયો સામે આવતા ઉઠી આવી માંગ
Anil Ambani: ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર CBI નો ગાળિયો,CBI ના ખુલાસાથી ઉદ્યોગ જગતમાં ખળભળાટ
Exit mobile version