Express Train: મુસાફરોને હેરાનગતિ! પ્રયાગરાજ મંડળ પર ટ્રાફિક બ્લોક લેવાને કારણે અમદાવાદ મંડળથી પસાર થતી આ ટ્રેનો પરિવર્તિત માર્ગથી દોડશે.

Express Train: પ્રયાગરાજ મંડળ પર ટ્રાફિક બ્લોક લેવાને કારણે અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગથી દોડશે.

by Hiral Meria
Due to taking traffic block at Prayagraj Mandal, some trains passing from Ahmedabad Mandal will run on diverted route.

  News Continuous Bureau | Mumbai

Express Train:  ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ મંડળના ટુંડલા-કાનપુર સેન્ટ્રલ સેક્શનના ગોવિંદપુરી સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે પાવર અને ટ્રાફિક બ્લોક લેવાને કારણે અમદાવાદ ( Ahmedabad ) મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો 8 નવેમ્બરથી 22 ડિસેમ્બર 2024 સુધી પરિવર્તિત માર્ગ પર દોડશે તથા આ ટ્રેનોને ગોવિંદપુરી સ્ટેશનને સ્થાને કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.  

Express Train:  આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

  1. ટ્રેન સંખ્યા 22467 વારાણસી-ગાંધીનગર એક્સપ્રેસ ટ્રેનને ( Varanasi-Gandhinagar Express Train ) નિર્ધારિત માર્ગ વાયા ચંદારી-ગોવિંદપુરી ને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ચંદારી-કાનપુર સેન્ટ્રલ-ગોવિંદપુરીના માર્ગ પર ચલાવવામાં આવશે.
  2. ટ્રેન સંખ્યા 09458 દાનાપુર-અમદાવાદ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનને ( Danapur-Ahmedabad Festival Special Train) નિર્ધારિત માર્ગ વાયા ચંદારી-ગોવિંદપુરી-પનકી ધામને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ચંદારી-કાનપુર સેન્ટ્રલ-પનકી ધામના માર્ગ પર ચલાવવામાં આવશે.
  3. ટ્રેન સંખ્યા 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને ( Barauni-Rajkot Special Train ) નિર્ધારિત માર્ગ વાયા ચંદારી-ગોવિંદપુરી-પનકી ધામને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ચંદારી-કાનપુર સેન્ટ્રલ-પનકી ધામના માર્ગ પર ચલાવવામાં આવશે.
  4. ટ્રેન સંખ્યા 09526 નાહરલગુન-હાપા સ્પેશિયલ ટ્રેનને ( Naharlagun-Hapa Special Train ) નિર્ધારિત માર્ગ વાયા ચંદારી-ગોવિંદપુરી-પનકી ધામને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ચંદારી-કાનપુર સેન્ટ્રલ-પનકી ધામના માર્ગ પર ચલાવવામાં આવશે.
  5. ટ્રેન સંખ્યા 12946 બનારસ-વેરાવળ ટ્રેનને નિર્ધારિત માર્ગ વાયા ચંદારી-ગોવિંદપુરી-પનકી ધામને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ચંદારી-કાનપુર સેન્ટ્રલ-પનકી ધામના માર્ગ પર ચલાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો  :  Surat Municipality: સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યું ઉમદા અભિયાન, જૂના કપડાં કે રમકડાં છે? તેમને ફેંકો નહીં, આ નંબર પર કોલ કરીને આપો દાન.

મુસાફરો ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી મેળવવા માટે વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More