Indian citizenship Ahmedabad: ‘મુસ્કુરાઇએ! અબ આપ સબ ભારત કે નાગરિક હૈ..’ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આ લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર કર્યા એનાયત.

Indian citizenship Ahmedabad: ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૫૬ પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં. અમદાવાદમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન કુલ ૧૨૨૩ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી - 'મુસ્કુરાઇએ! અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.', પાકિસ્તાનમાંથી આવીને વસેલા હિન્દુ પરિવારોને નવી ઓળખ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યું છે.

by Hiral Meria
Harsh Sanghvi awarded Indian citizenship certificates to these minority citizens in Ahmedabad.

News Continuous Bureau | Mumbai 

Indian citizenship Ahmedabad:  અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૫૬ પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં હતાં. 

આ અવસરે ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ સૌને આવકારતા કહ્યું કે, ‘મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.’

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ( Harsh Sanghavi ) વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લોકોના ચહેરા પર ખુશી અને વિશ્વાસની લાગણી છલકાઈ રહી છે.  પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં કેટલાક ધર્મ અને જ્ઞાતિઓના લોકો લઘુમતીઓમાં આવે છે. આ દેશોમાં વર્ષોથી લઘુમતી નાગરિકોની પરિસ્થિતિ કપરી છે તેમજ તેમની સુરક્ષા ખતરામાં છે. દેશનું દાયિત્વ સંભાળ્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાગરિકતા નિયમોમાં બદલાવ લાવીને પાકિસ્તાનમાંથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે.

આજે ભારતીય હોવાનો મને ગર્વ છે એમ જણાવીને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા નાગરિકોને સંબોધતા કહ્યું કે, તમે આજે ગર્વથી તમારી કર્મભૂમિ ભારતને બનાવી શકો છો, ભલે તમારો જન્મ પાકિસ્તાનમાં થયો હોય. આજે પાકિસ્તાનમાંથી આવેલા ઘણા લઘુમતી પરિવારો સમાજમાં વિવિધ ક્ષેત્રે વિકાસ સાધી રહ્યા છે અને સમાજના ઉત્થાનમાં યોગદાન આપી રહ્યા છે. આવા પરિવારોનાં સંતાનો પણ ઉચ્ચ અભ્યાસમાં સફળતા મેળવી રહ્યાં છે. પાકિસ્તાનમાંથી આવીને વસેલા હિન્દુ પરિવારોને નવી ઓળખ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સાથે જ, અમદાવાદ ( Indian citizenship Ahmedabad ) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને પ્રસંશનીય કામગીરી થકી નાગરિકોને વર્ષ ૨૦૧૭થી નાગરિકતા પ્રમાણપત્રો એનાયત થઈ રહ્યાં છે એમ જણાવીને ગૃહ રાજ્યમંત્રીએ તેમની કામગીરીને બિરદાવી હતી.

અમદાવાદના (  Ahmedabad ) નિવાસી અધિક કલેકટર ભાવિન સાગરે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે સરકાર દ્વારા નાગરિકને અપાતું આ મહત્ત્વનું પ્રમાણપત્ર છે. સરકારશ્રીએ કાયદામાં સુધારો કર્યો ત્યાર બાદ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૧૭થી કેમ્પ કરીને નિયમિતપણે લાયક નાગરિકોને આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

આ પ્રસંગે મણિનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ હંમેશાં નાગરિકોના (  Pakistani minority citizens ) પ્રશ્નો અને તેમની સમસ્યાઓના સમાધાનને પ્રાધાન્ય આપ્યું છે. એ જ દિશામાં, આજે નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવાનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Raj Kapoor: રાજ કપૂરની શતાબ્દી ઉજવણી!! કપૂર પરિવારે PM મોદી સાથે કરી મુલાકાત, આ ફિલ્મ ફેસ્ટિવલ માટે આપ્યું આમંત્રણ… 

મારા મતવિસ્તારમાંથી પણ ઘણા વ્યક્તિઓને આજે આ પ્રમાણપત્ર એનાયત થઈ રહ્યાં છે, એ વાતનો આનંદ છે.

આ પ્રસંગે નરોડાના ધારાસભ્ય ડો.પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં લાગુ કરવામાં આવેલા CAA કાયદા થકી શરણાર્થી નાગરિકોને એમના હકો મળશે અને તેઓ માનભેર જીવન જીવી શકશે. સાથે જ, તેમણે નાગરિકતા મેળવનાર નાગરિકોને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર ( Indian Citizenship Certificate ) પ્રાપ્ત કરનાર નાગરિકોએ તેમના પ્રતિભાવો વર્ણવ્યા હતા. પાકિસ્તાનથી ભારત આવીને વસેલા લઘુમતીઓને નાગરિકતા આપતો કાયદો લાવવા બદલ તેઓએ વડાપ્રધાનશ્રીની આભાર વ્યક્ત કર્યો હતો. 

આજના કાર્યક્રમમાં નાગરિકતા પ્રમાણપત્ર મેળવનાર અને વ્યવસાયે ડૉક્ટર એવા ઈશા કુમારીએ જણાવ્યું હતું કે, આજથી હું એક પ્રાઉડ ભારતીય ડૉક્ટર છું. મને આ સન્માન મળવાની ખુશી છે અને દેશ પ્રત્યેના મારા દાયિત્વને હું પ્રામાણિકપણે નિભાવીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના તા.૨૩/૧૨/૨૦૧૬ તેમજ તા.૨૩/૧૦/૨૦૧૮ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીઓને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની Minority Community (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન)ને CITIZENSHIP ACT-1955ની કલમ-૫ અને ૬ અન્વયે ભારતીય નાગરિકતા આપવા અંગેની સત્તા એનાયત કરી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ સુધી કુલ ૧૧૬૭ અને આજના કાર્યક્રમમાં કુલ ૫૬ વ્યક્તિઓને નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં છે.

ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં ધારાસભ્ય સર્વેશ્રી અમિતભાઈ શાહ, દિનેશભાઈ કુશવાહ, બાબુસિંહ જાદવ,ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી સહિત અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Rajinikanth birthday: વૈભવી જીવન જીવે છે સાઉથ સુપરસ્ટાર રજનીકાંત, થલાઈવા ની નેટવર્થ જાણી ખસકી જશે તમારા પગ નીચેથી જમીન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More