News Continuous Bureau | Mumbai
Lok Adalat : ટપાલ સેવા ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, શહેર વિભાગ, અમદાવાદ-380009ની કચેરી ખાતે તા. 25/03/2025ના રોજ 15:૦૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરશે.
અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), સિનિયર પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુરા, અમદાવાદ-380009ને મોકલવી જેથી નિયત તારીખ 22/03/2025 સુધી અત્રે કચેરી એ પહોચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.
આ સમાચાર પણ વાંચો: Dak Adalat : અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન
ફરિયાદ વિષયવક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નૌતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. તદુપરાંત, ફરિયાદની એક અરજી માં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઇએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.