QR Code: હવે રોકડ ચુકવણીમાંથી મળશે રાહત, અમદાવાદ મંડળના આ સ્ટેશનો પર મુસાફરો ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે.

QR Code: આ નવી પહેલ હેઠળ, અમદાવાદ મંડળના અમદાવાદ,મણિનગર, અસારવા, સાબરમતી તથા સરદારગ્રામ સ્ટેશનો ના તમામ આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ કાઉન્ટરો પર ક્યુઆર કોડ દ્વારા રેલ ટિકિટની ચુકવણી સ્વિકારવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે

by Hiral Meria
Now getting relief from cash payment, passengers can pay ticket fare through QR code at various stations of Ahmedabad Mandal.

News Continuous Bureau | Mumbai

QR Code: માનનીય વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ અને રેલવે બોર્ડની સૂચનાથી અમદાવાદ ( Ahmedabad ) મંડળ ના તમામ કાઉન્ટરો પર ક્યુઆર કોડ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. રેલવે યાત્રીઓને ટિકિટનું ભાડું ( Ticket fare ) ચૂકવવા માટે ક્યુઆર કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી પહેલ હેઠળ, અમદાવાદ મંડળના અમદાવાદ,મણિનગર, અસારવા, સાબરમતી તથા સરદારગ્રામ સ્ટેશનો ના તમામ આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ કાઉન્ટરો પર ક્યુઆર કોડ દ્વારા રેલ ટિકિટની ચુકવણી સ્વિકારવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને મંડળના અન્ય તમામ સ્ટેશનો પર પણ બિનઆરક્ષિત અને આરક્ષિત કાઉન્ટર પર ટૂંક સમયમાં જ ક્યુઆર કોડ ના માધ્યમથી ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.  

Now getting relief from cash payment, passengers can pay ticket fare through QR code at various stations of Ahmedabad Mandal.

Now getting relief from cash payment, passengers can pay ticket fare through QR code at various stations of Ahmedabad Mandal.

 

રેલવે યાત્રીઓને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે યુટીએસ મોબાઈલ એપ ( UTS Mobile App ) , એટીવીએમ,પીઓએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ ચુકવણી ( Digital payment ) ના વિવિધ વિકલ્પો અગાઉથી જ ઉપલબ્ધ છે. આ પ્રકારની ડિજિટલ ચુકવણી પ્રણાલીને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મંડળે તેનો વિસ્તાર કર્યો છે. આ નવી ડિજિટલ ચુકવણી પ્રણાલી હવે યાત્રીઓ ને ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવવા માટે વધુ સગવડ પૂરી પાડશે, આના દ્વારા કોઈપણ યાત્રી સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના ટિકિટનું ભાડું ચૂકવી શકશે.

આ સમાચાર પણ વાંચો: India-Mauritius Bilateral Meeting: ભારત – મોરેશિયસની વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક, સિવિલ સર્વન્ટ્સ માટે હાથ ધરશે આ ખાસ કાર્યક્રમો..જાણો વિગતે.

આ પ્રયાસ રેલ યાત્રીઓને ( Rail passengers ) વધુ સુવિધાજનક અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટેનું એક પ્રોત્સાહન છે અને તેના માધ્યમ થી ડિજિટલ ચુકવણી માટે  સરળ અને સુરક્ષિત વિકલ્પો પ્રદાન કરવામાં આવી રહ્યા છે. 

Now getting relief from cash payment, passengers can pay ticket fare through QR code at various stations of Ahmedabad Mandal.

Now getting relief from cash payment, passengers can pay ticket fare through QR code at various stations of Ahmedabad Mandal.

યાત્રીઓ ને ડિજિટલ ભાડાની ચુકવણી માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like