News Continuous Bureau | Mumbai
Postal Court: ટપાલ સેવાને ( Postal Service ) લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, શહેર વિભાગ, ( Ahmedabad ) અમદાવાદ-380009ની કચેરી ખાતે તા. 27 જૂન, 2024ના રોજ 15.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત સાંભળશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન થશે.
અમદાવાદાની પોસ્ટ ઓફિસની ( Post Office ) ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ( અમદાવાદ શહેર), પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુરા, અમદાવાદ 380009ને મોકલવી જેથી નિયત તા. 24 જૂન, 2024 સુધી અત્રે કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Aadhaar Card Update: આધાર કાર્ડમાં ફેરફાર કરવાની અંતિમ તારીખ હવે ફરિ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી.
ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. તદુપરાંત ફરિયાદની એક અરજીમાં એક કરતાં વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ ( Ahmedabad Post Office ) શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.