News Continuous Bureau | Mumbai
Postal Court: ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-380001 ખાતે તા. 29 એપ્રિલ, 2024, સોમવારના રોજ 12.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે.
Postal Court: આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાભળી નિકાલ કરવામાં આવશે.
ટપાલ સેવા ( postal service ) સબંધિત અદાલતમા ( court ) રજૂ કરવાની ફરિયાદો, આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર જનરલ (વિજિલન્સ ઓફિસર), કમ્પ્લેઈન્ટ સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર ( Ahmedabad ) અમદાવાદ-380001ને મોડામાં મોડી તા. 24 એપ્રિલ, 2024ના રોજ બુધવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદો ( Complaints ) ધ્યાનમાં લેવામા આવશે નહી. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Rama Navami : રામ નવમી એ એક હિન્દુ વસંત તહેવાર છે જે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામના જન્મદિવસની ઉજવણી કરે છે.