postal court: ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ- 380001 ખાતે તા. 16.01.2025ને ગુરુવારના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ-સેવાઓને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રીજનલ ડાક અદાલતમાં સાંભળવામાં આવેલ પરંતુ જેનું નિવારણ થયેલ નથી, તે જ મુદ્દા આ ડાક અદાલતમાં સાંભળવામાં આવશે અને તેનું નિવારણ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Indian Navy: ભારતીય નૌકાદળના 60-દિવસીય પ્રોગ્રામમાં માનસિક સ્વાસ્થ્ય પર વર્કશોપનું આયોજન
ટપાલ સેવા સબંધી અદાલતમાં રજુ કરવાની ફરિયાદો આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ (કંપ્લેઇન્ટ ઓફિસર), કંપ્લેઇન્ટ સેક્સન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- 380001ને મોડામાં મોડી તારીખ- 10.01.2025ને શુક્રવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.