Site icon News Continuous Bureau | Mumbai

Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે

Indian Railways: આ પ્રોજેક્ટ્સની કુલ અંદાજિત કિંમત રૂ. 2,781 કરોડ છે

Railway Multitracking Projects Worth ₹2,781 Crore Approved for Gujarat & Maharashtra

Railway Multitracking Projects Worth ₹2,781 Crore Approved for Gujarat & Maharashtra

News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ આજે ​​રેલવે મંત્રાલયના બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેની કુલ કિંમત આશરે રૂ. 2,781 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:

Join Our WhatsApp Channel

દેવભૂમિ દ્વારકા (ઓખા) – કાનાલુસ ડબલિંગ – 141 કિમી
બદલાપુર – કારજત ત્રીજી અને ચોથી લાઇન – 32 કિમી

વધેલી લાઇન ક્ષમતા ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરશે, જેના પરિણામે ભારતીય રેલ્વે માટે સુધારેલી ઓપરેશનલ કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતા મળશે. આ મલ્ટિ-ટ્રેકિંગ દરખાસ્તો કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ભીડ ઘટાડવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘નવા ભારત’ના વિઝન સાથે સુસંગત છે, જે આ વિસ્તારમાં વ્યાપક વિકાસ દ્વારા પ્રદેશના લોકોને “આત્મનિર્ભર” બનાવશે, જેનાથી તેમની રોજગાર/સ્વ-રોજગારની તકોમાં વધારો થશે.

આ પ્રોજેક્ટ્સ PM-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર આયોજનબદ્ધ છે, જે સંકલિત આયોજન અને હિતધારકોની સલાહ-સૂચનો દ્વારા મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રોજેક્ટ્સ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા આ બે પ્રોજેક્ટ્સ ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો કરશે.

આ સમાચાર પણ વાંચો : Uttan Virar Sea Bridge: મુંબઈ કોસ્ટલ રોડનું વિરાર સુધી વિસ્તરણ: ₹૫૮,૭૫૪ કરોડના ખર્ચે ઉત્તન-વિરાર તબક્કો-૧ સી બ્રિજને મંજૂરી

મંજૂર થયેલ મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ આશરે 585 ગામોને કનેક્ટિવિટી વધારશે, જેની વસ્તી લગભગ 32 લાખ છે.

કાનાલુસથી ઓખા (દેવભૂમિ દ્વારકા) સુધીનું મંજૂર કરાયેલ ડબલિંગ દ્વારકાધીશ મંદિરને ઉન્નત કનેક્ટિવિટી પ્રદાન કરશે, મુખ્ય તીર્થસ્થળ સુધીની પહોંચને સરળ બનાવશે અને સૌરાષ્ટ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ તરફ દોરી જશે.

બદલાપુર – કારજત વિભાગ મુંબઈ ઉપનગરીય કોરિડોરનો એક ભાગ છે. ત્રીજી અને ચોથી લાઇનનો પ્રોજેક્ટ મુંબઈ ઉપનગરીય વિસ્તારમાં કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને મુસાફરોની ભાવિ માંગને પૂર્ણ કરશે, સાથે સાથે દક્ષિણ ભારત સાથે કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે.

આ કોલસો, મીઠું, કન્ટેનર, સિમેન્ટ, POL વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે એક આવશ્યક માર્ગ છે. ક્ષમતા વૃદ્ધિના કામોના પરિણામે 18 MTPA (મિલિયન ટન પ્રતિ વર્ષ) ના સ્તરનો વધારાનો માલ પરિવહન ટ્રાફિક થશે. પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા-કાર્યક્ષમ પરિવહન માધ્યમ હોવાને કારણે, રેલ્વે આબોહવા લક્ષ્યો હાંસલ કરવામાં અને દેશના લોજિસ્ટિક્સ ખર્ચને ઘટાડવામાં, ઓઇલની આયાત (3 કરોડ લિટર) ઘટાડવામાં અને CO2 ઉત્સર્જન (16 કરોડ કિલો) ઘટાડવામાં મદદ કરશે, જે 64 (ચોસઠ) લાખ વૃક્ષોના વાવેતરની સમકક્ષ છે.

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version