Railway News : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

Railway News : આ ટ્રેનનો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.50/04.55 કલાકને બદલે 04.45/04.50 કલાક રહેશે.

by kalpana Verat
Railway News Western Railway revises schedules of 8 trains to improve punctuality

News Continuous Bureau | Mumbai

Railway News : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :

1) ટ્રેન નં. 12267 મુંબઈ-હાપા દુરન્તો એક્સપ્રેસના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 30.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.50/04.55 કલાકને બદલે 04.45/04.50 કલાક રહેશે. 

2) ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 30.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય અમદાવાદ સ્ટેશન પર 05.00/05.05 કલાકને બદલે 04.55/05.00 કલાકે, વિરમગામ સ્ટેશન પર 06.23/06.25 કલાકને બદલે 06.15/06.17 કલાકે રહેશે. 

3) ટ્રેન નં. 19270 મુજફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 01.06.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 02.50/02.52 કલાકને બદલે 02.20/02.22 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.40/03.42 કલાકને બદલે 03.15/03.17 કલાકે, ચાંદલોડિયા B સ્ટેશન પર 04.40/04.45 કલાકને બદલે 04.30/04.35 કલાકે અને વિરમગામ સ્ટેશન પર 05.44/05.46 કલાકને બદલે 05.32/05.34 કલાકે રહેશે.  

4) ટ્રેન નં. 20914 દિલ્લી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 30.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 02.50/02.52 કલાકને બદલે 02.20/02.22 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.57/03.59 કલાકને બદલે 03.15/03.17 કલાકે અને વિરમગામ સ્ટેશન પર 05.00/05.02 કલાકને બદલે 04.30/04.32 કલાકે રહેશે.  

આ સમાચાર પણ વાંચો : Western Railway Block : લોકલ યાત્રીઓ માટે મહત્વના સમાચાર, પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં 36 કલાકનો બ્લૉક,160 થી વધુ લોકલ રહેશે રદ્દ..

5) ટ્રેન નં. 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 01.06.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 02.50/02.52 કલાકને બદલે 02.20/02.22 કલાકે, સિદ્ધપુર સ્ટેશન પર 03.15/03.17 કલાકને બદલે 02.46/02.48 કલાકે, ઉંઝા સ્ટેશન પર 03.32/03.34 કલાકને બદલે 03.04/03.06 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.57/03.59 કલાકને બદલે 03.24/03.26 કલાકે અને વિરમગામ સ્ટેશન પર 05.00/05.02 કલાકને બદલે 04.30/04.32 કલાકે રહેશે.  

6) ટ્રેન નં. 22932 જેસલમેર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 31.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 04.20/04.22 કલાકને બદલે 04.55/04.57 કલાકે, ઉંઝા સ્ટેશન પર 05.00/05.02 કલાકને બદલે 05.32/05.34 કલાકે, મહેસાણા સ્ટેશન પર 05.28/05.30 કલાકને બદલે 05.52/05.54 કલાકે અને કલોલ સ્ટેશન પર 06.03/06.05 કલાકને બદલે 06.26/06.28 કલાકે, સાબરમતી સ્ટેશન પર 06.34/06.36 કલાકને બદલે 06.47/06.49 કલાકે રહેશે. 

7) ટ્રેન નં. 20984 દિલ્લી સરાઈ રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 31.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 04.45/04.47 કલાકને બદલે 04.05/04.10 કલાકે, ભીલડી સ્ટેશન પર 05.25/05.27 કલાકને બદલે 04.50/04.52 કલાકે, ભાભર સ્ટેશન પર 05.59/06.01 કલાકને બદલે 05.24/05.26 કલાકે, ભચાઉ સ્ટેશન પર 08.32/08.34 કલાકને બદલે 07.59/08.01 કલાકે, ગાંધીધામ સ્ટેશન પર 09.30/09.45 કલાકને બદલે 09.05/09.20 કલાકે, અંજાર સ્ટેશન પર 10.10/10.12 કલાકને બદલે 09.45/09.47 કલાકે રહેશે તથા ભુજ સ્ટેશન પર આગમન 11.30 કલાકને બદલે 11.05 કલાકે રહેશે. 

8) ટ્રેન નં. 19027 બાન્દ્રા ટર્મિનસ-જમ્મૂ તવી એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 31.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય મહેસાણા સ્ટેશન પર 20.40/20.42 કલાકને બદલે 20.16/20.18 કલાકે તથા પાલનપુર સ્ટેશન પર 22.18/22.20 કલાકને બદલે 22.05/22.10 કલાકે રહેશે. 

ટ્રેનોના રોકાણ, આગમન/પ્રસ્થાન સમય સહિત અન્ય અદ્યતન માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More