Ahmedabad: અમદાવાદ મંડળની કેટલીક સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે.

Ahmedabad: ઉત્તર મધ્ય રેલવે પર પ્રયાગરાજ સ્ટેશનના મેજર અપગ્રેડેશનના કામના સંબંધમાં પ્લેટફોર્મ નંબર 4 અને 05 બંધ કરવામાં આવી રહ્યા છે.

by Hiral Meria
Some weekly trains of Ahmedabad Mandal will run on the altered route.

 News Continuous Bureau | Mumbai

Ahmedabad: ઉત્તર મધ્ય રેલવે પર પ્રયાગરાજ સ્ટેશનના મેજર અપગ્રેડેશનના કામના સંબંધમાં પ્લેટફોર્મ નંબર 4 અને 05 બંધ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ, અમદાવાદ-પટના એક્સપ્રેસ અને અમદાવાદ-પટના સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત કરાયેલામાર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.  

  • 14 જૂનથી 19 જુલાઈ, 2024 સુધી, અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ ( Ahmedabad-Darbhanga Antyodaya Express ) તેના નિર્ધારિત માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીને બદલે પરિવર્તિત માર્ગ વાયા માણિકપુર-પ્રયાગરાજ છિવકી-વારાણસી થઈને દોડશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યા છે.
  • 12 જૂનથી 24 જુલાઈ 2024 સુધીં દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-પ્રયાગરાજ છિવકી-માણિકપુર થઈને દોડશે. આ ટ્રેનને પ્રયાગરાજ ( Prayagraj ) છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યા છે.
  • 16 જૂનથી 21 જુલાઈ 2024 સુધી અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસને ( Ahmedabad-Patna Express ) તેના નિર્ધારિત માર્ગ વાયા માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસી-પં. દીનદયાલ ઉપાધ્યાય ના બદલે પરિવર્તિત માર્ગ વાયા માનિકપુર-પ્રયાગરાજ છિવકી-પં. દીનદયાળ ઉપાધ્યાય થઈને ચાલશે. આ ટ્રેનને ( Express  Train ) પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યો છે.
  • 18 જૂનથી 23 જુલાઈ 2024 સુધી પટનાથી ( Patna  ) ઉપડનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ વાયા પં. દીનદયાલ ઉપાધ્યાય-વારાણસી-પ્રયાગરાજ  રામબાગ-પ્રયાગરાજ- માણિકપુર ના બદલે પં. દીનદયાલ ઉપાધ્યાય-પ્રયાગરાજ છિવકી-માણિકપુરના રસ્તે ચાલશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યો છે.
  • 12 જૂનથી 24 જુલાઈ 2024 સુધી અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સાપ્તાહિક વિશેષ તેના નિર્ધારિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-પ્રયાગરાજ-પં. દીનદયાલ ઉપાધ્યાય ના બદલે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનઉ-પં.દીનદયાલ ઉપાધ્યાય થઈને ચાલશે.

આ સમાચાર  પણ વાંચો : Antarashtriya Yoga Diwas Media Samman 2024: માહિતી અને પ્રસારણ મંત્રાલયે રાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન – 2024ની ત્રીજી આવૃત્તિની જાહેરાત કરી

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર  જઈને મુલાકાત લઈ શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like