News Continuous Bureau | Mumbai
Ganesh Chaturthi: ગણેશ ઉત્સવના દિવસોમાં ભક્તો પોતાના ઘર, મહોલ્લા, શેરી અને જાહેર સ્થળોએ ગણપતિ બાપ્પાની મૂર્તિની ( Ganesh Idols ) સ્થાપના કરે છે ત્યારે હાલમાં સમગ્ર દેશમાં ઇકો-ફ્રેન્ડલી ચીજવસ્તુઓની માંગ વધી રહી છે. અમદાવાદમાં ( Ahmedabad ) રહેતો એક પરિવાર ત્રણ પેઢીઓથી ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે. વિજયભાઈ નાઈક ત્રીજી પેઢીના કારીગર છે જે માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવે છે. જેની વિશેષતાઓની વાત કરીએ તો આ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ હોય છે.
Ganesh Chaturthi: અમદાવાદમાં મુર્તિ ખરીદી કરવા આવનાર ગ્રાહકો પણ હવે માટીની મૂર્તિઓ વધુ સારો વિકલ્પ ગણીને પસંદગી કરી રહ્યા છે.
આ વર્ષે વિજયભાઈ ( Vijay Naik ) અને તેમની ટીમે 12 ફૂટની વિશાળ ગણેશ મૂર્તિ બનાવી છે. તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો હતો. આ માટીની મુર્તિમાં નાળિયેરના રેસાનો ઉપયોગ મુર્તિના હાથ અને ગળાના ભાગને મજબૂત કરવા માટે થાય છે. ઈકો ફ્રેન્ડલી ( Eco-friendly idols ) અભિયાન આ રીતે વેગવાન બન્યું છે સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Droupadi Murmu: આ પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ઓળખપત્રો કર્યા રજૂ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.