PM Shri Kendriya Vidyalaya Ahmedabad: પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ છાવણીમાં સતર્કતા સપ્તાહની ઉજવણી, UBI દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં વિજેતા વિધાર્થીઓને કરાયા સન્માનિત.

PM Shri Kendriya Vidyalaya Ahmedabad: પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ છાવણીનો વિજયી ટંકાર

by Hiral Meria
Victory of PM Sri Kendriya Vidyalaya Ahmedabad Cantt

News Continuous Bureau | Mumbai 

PM Shri Kendriya Vidyalaya Ahmedabad: પીએમ શ્રી, કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં સતર્કતા સપ્તાહની ઉજવણી અંતર્ગત UBI દ્વારા યોજાયેલી પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પ્રિયા કુમારી , ધોરણ ૯ અ પ્રથમ વિજેતા, વેદાંત સોની ,૧૦ દ્વિતીય વિજેતા અને રુદ્ર, રુદ્રપાલ અને હેમંત ધોરણ ૧૦ ના વિધાર્થીઓ ત્રીજા સ્થાને શીલ્ડ આપી સન્માનિત કરાયા.  પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટએ તેના આદરણીય સ્ટાફ અને ઉજ્જવળ વિદ્યાર્થીઓની ( School Students ) અસાધારણ સિદ્ધિઓના ઉજાસમાં વિજયની ઉજવણી કરી છે. તાજેતરની સિદ્ધિઓએ શાળાની શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટેની અડગ પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેનાથી આ સંસ્થા શિક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર બની ગઈ છે.

Victory of PM Sri Kendriya Vidyalaya Ahmedabad Cantt

Victory of PM Sri Kendriya Vidyalaya Ahmedabad Cantt

 

શ્રી કુલદીપ રાવત, ભૂગોળના પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષકે, તેમના શૈક્ષણિક ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પર પંહોચી સેન્ટ્રલ અમેરિકન યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ લેટર્સ (D.Litt.) ની પ્રતિષ્ઠિત ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ પ્રસંશનાત્મક સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સંસ્થાની આત્માનિષ્ઠાની શ્રેષ્ઠતા જ છે. તેમની આ સિદ્ધિ તેમના વિદ્યાર્થી અને સહકર્મીઓને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે. સાથે જ, શ્રી જીતેન્દ્ર સોની, અગાઉ ટ્રેંડ ગ્રેજ્યુએટ શિક્ષક (TGT) હતા, તેમને PGT (સ્નાતકોતર શિક્ષક)ઈતિહાસના રૂપમાં બઢતી મળી છે અને કે.વિ. નંબર 1, AFS જામનગરમાં નિમણૂક મળી છે. તેમની આ ઉન્નતિ શાળાની પ્રોફેશનલ વૃદ્ધિ માટેની પ્રતિબદ્ધતા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને મજબૂત બનાવે છે.

Victory of PM Sri Kendriya Vidyalaya Ahmedabad Cantt

Victory of PM Sri Kendriya Vidyalaya Ahmedabad Cantt

આ સમાચાર પણ વાંચો :  Bhiwandi Fire: ભિવંડીમાં લોજિસ્ટિક્સ ગોડાઉનમાં ભીષણ આગ લાગી, માલસામાન બળીને થયો ખાક… જુઓ વિડીયો

શાળાના ( PM Shri Kendriya Vidyalaya Ahmedabad ) સમાવેશી શિક્ષણમાં ઉચ્ચોત્તમ ફાળો આપનાર શ્રીમતી માધવી ધનવડેને 27 સપ્ટેમ્બર, 2024ના રોજ શ્રી અરવિંદ સોસાયટી, દિલ્હી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમની આ મહત્વની કામગીરી માટે માન્યતા આપવામાં આવી. તેઓએ બધા વિદ્યાર્થીઓને સમાન તક મળે તે માટેની તેમની અવિરત મહેનતના ફળરૂપે, શાળામાં વિલક્ષણ શિક્ષણનું વાતાવરણ સર્જાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More