News Continuous Bureau | Mumbai
All India Home Guard and Civil Defense Conference: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 14મી ઓલ ઇન્ડિયા હોમગાર્ડઝ એન્ડ સિવિલ ડિફેન્સ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પોતાનાં સંબોધનમાં અમિત શાહે ( Amit Shah ) ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ વિઝનમાં આપણે દરેક ક્ષેત્રમાં વિકાસની સાથે-સાથે આપણાં મૂલ્યો, પરંપરાઓ, સંસ્કૃતિ અને ભાષાઓનું જતન કરીને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવું પડશે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કટિબદ્ધતાને સાકાર કરવા સેવા અને સુરક્ષા એ બે અતિ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સુરક્ષામાં દરેક વ્યક્તિ, સંપત્તિ, ભવિષ્ય, અધિકારો સામેલ છે અને સાથે સાથે આપણી સેવાનાં મુખ્ય મૂલ્યોનો પણ સમાવેશ થાય છે. તેમણે નોંધ્યું હતું કે, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ્સ એ સુરક્ષા અને સેવા સાથે સંકળાયેલી સંસ્થાઓ છે, જે સમાજનાં એક વર્ગને સમુદાયનાં સંરક્ષણ અને સેવા સાથે જોડવાનું કામ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ વિકસિત ભારતનું નિર્માણ કરવાની કટિબદ્ધતાને હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવા અને સુરક્ષાનાં પરિમાણો મારફતે હાંસલ કરી શકાશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ નોંધ્યું હતું કે, આ બે દિવસીય સંમેલન દરમિયાન, પાંચ સત્રોમાં હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સને ( Home Guards and Civil Defence ) મજબૂત કરવા, ક્ષમતા નિર્માણ અને આપત્તિ વ્યવસ્થાપનમાં તેમની ભૂમિકા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ કોન્ફરન્સ રાજ્યો વચ્ચે સંવાદનાં માધ્યમ તરીકે પણ કામ કરશે, સારી પદ્ધતિઓનાં આદાન-પ્રદાનની સુવિધા આપશે અને ઊભરતા પડકારોનું સમાધાન કરવામાં તેમની ક્ષમતાઓને પ્રોત્સાહન આપશે.
आज गाँधीनगर में 14वें अखिल भारतीय होम गार्ड व सिविल डिफेंस सम्मेलन को संबोधित किया।
होम गार्ड और सिविल डिफेंस के वीर सामुदायिक सुरक्षा के साथ-साथ आपदाओं के दौरान राहत व बचाव कार्यों में भी महत्वपूर्ण भूमिका निभा रहे हैं। यह सम्मेलन राज्यों के होम गार्ड व सिविल डिफेंस संगठनों के… pic.twitter.com/r6P3emzfHH
— Amit Shah (@AmitShah) October 22, 2024
અમિત શાહે જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ વર્ષ 1962થી અત્યાર સુધી હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સને ( All India Home Guard and Civil Defense Conference) મહત્ત્વ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે નોંધ્યું હતું કે સિવિલ ડિફેન્સ ડિરેક્ટોરેટની સ્થાપના 1962માં કરવામાં આવી હતી અને સિવિલ ડિફેન્સ એક્ટ 1968માં પસાર કરવામાં આવ્યો હતો. શ્રી શાહે 1965 અને 1971નાં યુદ્ધો દરમિયાન હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણનાં સ્વયંસેવકોનાં અમૂલ્ય પ્રદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ સંસ્થાઓએ આવશ્યક માળખાગત સુવિધાઓનું રક્ષણ કરવામાં, નાગરિકોને સામાન્ય તાલીમ પૂરી પાડવામાં અને સશસ્ત્ર દળો અને સ્થાનિક વહીવટના સહયોગથી તેમને સલામત સ્થળોએ સ્થળાંતર કરવામાં મદદ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી ચાર મહિનામાં અનેક નવા પાસા અને સમયસર ફેરફારો ઉમેરીને હોમગાર્ડ્સ ( Home Guards ) અને સિવિલ ડિફેન્સ ચાર્ટરને સુસંગત અને ઉપયોગી બનાવવાના પ્રયાસો મોદી સરકાર દ્વારા કરવામાં આવશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ પગલાંનો ઉદ્દેશ બંને સંસ્થાઓમાં નવી જાગૃતિ અને જોમ લાવવાનો છે. શ્રી શાહે સમજાવ્યું હતું કે, વર્તમાન ચાર્ટરમાં યુદ્ધની કટોકટી માટે લોકોને તૈયાર કરવા, નાગરિકોનું સંરક્ષણ કરવા, યુદ્ધની અસરો ટાળવા માટે તેમને તાલીમ આપવી, અહિંસક નાગરિક પ્રતિકારની માનસિકતાને પ્રોત્સાહન આપવું, સમુદાયોનું આયોજન કરવું, યુદ્ધમાં નુકસાન પામેલી માળખાગત સુવિધાઓની મરામતમાં મદદ કરવી અને મનોબળ વધારવાનો સમાવેશ થાય છે. તેમણે નોંધ્યું હતું કે, જો કોઈ સંસ્થાના ચાર્ટરમાં 50 વર્ષ સુધી ફેરફાર ન થાય, તો સંસ્થા અને ચાર્ટર બંને અપ્રચલિત થઈ જાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 50 વર્ષમાં દેશમાં આમૂલ પરિવર્તનો થયાં છે અને ટેકનોલોજીકલ પ્રગતિઓએ જરૂરિયાતોમાં ફેરફાર કર્યો છે, જે દેશને નોંધપાત્ર પ્રગતિ તરફ દોરી જશે.
આ સમાચાર પણ વાંચો : Amit Shah Legislative Drafting Training: ગુજરાત વિધાનસભામાં યોજાયો ‘લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ’ કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું આ પ્રોગ્રામને સંબોધન.
અમિત શાહે જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી દરમિયાન હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સનાં ( Civil Defence ) સ્વયંસેવકોએ લોકોની સેવા કરવા માટે તેમનાં સમર્પણની સાથે-સાથે જે ભૂમિકા ભજવી હતી, તે પ્રશંસનીય છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રોગચાળા દરમિયાન, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સના 27 જવાનોએ લોકોની સેવા કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી જણાવ્યું હતું કે હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ માટે ઇમરજન્સી સેવાઓમાં યોગદાન માટેની તાલીમ વ્યવસ્થિત હોવી જોઈએ અને તેમના ચાર્ટરમાં સ્થાન હોવું જોઈએ. તેમણે કહ્યું કે ટ્રાફિક મેનેજમેન્ટમાં પણ હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ માટે સંસ્થાકીય વ્યવસ્થા કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, આ જ રીતે તેમણે નશીલા દ્રવ્યોથી મુક્ત ભારત, સ્વચ્છ ભારત અભિયાન, વૃક્ષારોપણ અભિયાન, જળ સંરક્ષણ, સામાજિક દૂષણો સામે જાગૃતિ, મહિલા સુરક્ષા, સામુદાયિક સ્વાસ્થ્ય સંભાળ, ટીબી મુક્ત ભારત, કુપોષણ સામે યુદ્ધ, પોષણ અભિયાન વગેરે જેવા જાગૃતિલક્ષી કાર્યક્રમોમાં સામેલ થવું જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, સાયબર સુરક્ષા અને ડિજિટલ કૌભાંડ સામે જાગૃતિ ફેલાવવામાં રચનાત્મક ભૂમિકા હોવી જોઈએ. પર્યાવરણ સંરક્ષણ માટે સ્વચ્છ ભારત અભિયાન, પ્લાસ્ટિક મુક્ત ભારત અને વૃક્ષારોપણ અભિયાન. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થામાં સહાયતા માટે એક રોડમેપ બનાવવો જોઈએ જેથી સ્થાનિક કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ અને હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ વચ્ચે સંકલન થાય. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, 100 ટકા નોંધણી અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો જેવી તેમની ભૂમિકાને પણ નવા ચાર્ટરમાં સ્થાન આપવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સને રોજગાર અને અખંડ ભારત માટેનાં ઘણાં સરકારી કાર્યક્રમો સાથે જોડવા માટે ચાર્ટરમાં સામેલ કરવાની જરૂર છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, અત્યારે દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ બંને સંસ્થાઓની ભૂમિકા વિશે નવેસરથી વિચારવાની જરૂર છે, જેથી તેમને વધારે પ્રસ્તુત બનાવી શકાય. તેમણે કહ્યું કે, આગામી 4 મહિનામાં આ બંને સંગઠનોમાં નવું પ્રાણ ફૂંકવાની જરૂર છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તાલીમ આપવા અને નવા અને યુવાન ચહેરાઓને આગળ લાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ગૃહમંત્રીએ કહ્યું કે, અત્યાર સુધી માત્ર એ જ લોકો હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા છે જે સમાજ માટે આગળ આવવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે, જે રીતે સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ એનસીસી, એનએસએસમાં થાય છે તેવી જ રીતે સમાજના દરેક વર્ગના યુવાનોને પણ આ સંસ્થાઓ સાથે જોડવામાં આવે તેવો સરકાર પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2047માં વિકસિત ભારતનું નિર્માણ કરવાનાં લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આપણે તેની સાથે સંબંધિત દરેક પાસાંને મજબૂત કરવાની જરૂર છે.
આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 નું બીજું ગીત થયું રિલીઝ, કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી ની કેમેસ્ટ્રી એ જીત્યા લોકો ના દિલ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)