Express Train : ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને સોમનાથ એક્સપ્રેસના સંચાલન સમયમાં આંશિક ફેરફાર

Express Train : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોના સમય પાલનમાં વધુ સુધારો કરવા માટે 15 મે 2024થી ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અને ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કરાયા છે

by Hiral Meria
Partial change in operating timings of Gandhinagar-Veraval Intercity Express and Somnath Express

News Continuous Bureau | Mumbai

Express Train : પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોના સમય પાલનમાં વધુ સુધારો કરવા માટે 15 મે 2024થી ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અને ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કરાયા છે જેની વિગતો નીચે મુજબ છે:-  

Express Train : ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ – વેરાવળ સોમનાથ એક્સપ્રેસ 

 ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ – વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ( Gandhinagar Capital – Veraval Somnath Express ) ગાંધીનગરથી ( Gandhinagar  ) વર્તમાન નિર્ધારિત સમય 21:55 કલાકના સ્થાને 21:45 કલાકે (10 મિનિટ વહેલા) પ્રસ્થાન કરશે અને 22.08/22.10 કલાકે ચાંદલોડિયા બી, 22.56/22.58 કલાકે વિરમગામ અને 05:45 કલાકે વેરાવળ પહોંચશે.

Express Train :ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ – વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ

ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ – વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ  ( Gandhinagar Capital – Veraval Intercity Express ) ગાંધીનગરથી વર્તમાન નિર્ધારિત સમય 10:35 કલાકના સ્થાને 10:30 કલાકે (05 મિનિટ વહેલા) ઉપડશે. અન્ય તમામ સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનનો સમય યથાવત રહેશે. 

આ સમાચાર પણ વાંચો:   MDoNER : MDoNERએ વિજ્ઞાન ભવન એનેક્સી, નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024 માટે કાઉન્ટડાઉનનું આયોજન કર્યું

Express Train :ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ 

ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ (  Veraval-Gandhinagar Somnath Express ) વેરાવળથી તેના નિર્ધારિત સમયે 21:50 કલાકે પ્રસ્થાન કરશે તથા વિરમગામ 04:21/04:23 કલાકના સ્થાને 04:05/04:07 કલાકે, ચાંદલોડિયા બી 05:10/05:12 કલાકના સ્થાને 04:50/04:52 કલાકે તથા ગાંધીનગર 05:55 કલાકના સ્થાને 05:40 કલાકે પહોંચશે.

ટ્રેનના સંચાલન સમય, સ્ટોપ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More