News Continuous Bureau | Mumbai
UMI Conference and Exhibition Gandhinagar: 17મી યુએમઆઈ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન 2024નું આયોજન આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન ટ્રાન્સપોર્ટ (ઇન્ડિયા) મારફતે અને ગુજરાત સરકાર અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી 25 થી 27 ઓક્ટોબર, 2024 દરમિયાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે.
આ સંમેલનનું ( UMI Conference and Exhibition ) ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ ( Bhupendra Patel ) કરશે. આ પ્રસંગે અનેક મહાનુભાવો અને પ્રતિનિધિઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ ઘડવૈયાઓ, મેટ્રો રેલ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર્સ, પરિવહન એકમોના મુખ્ય અધિકારીઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, વ્યાવસાયિકો અને શિક્ષણવિદો ઉપસ્થિત રહેશે.
આ વર્ષે આ ( UMI ) પરિષદ “શહેરી પરિવહન ઉકેલોના માનકીકરણ અને ઓપ્ટિમાઇઝેશન” વિષય પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે ખાસ કરીને ભારતીય સંદર્ભમાં શહેરી ગતિશીલતાને ઓપ્ટિમાઇઝ કરવા માટેના ધોરણોમાં સુમેળ પર ભાર મૂકશે. તેમાં મેક ઇન ઇન્ડિયા નીતિ, પરિવહન આયોજન માટે બિગ ડેટાનું મહત્ત્વ, ભારતમાં ઇ-બસ ઇકો-સિસ્ટમ, મેટ્રો સિસ્ટમમાં ખર્ચનાં બેન્ચમાર્કિંગ, ઇ-બસ સંક્રમણનાં સંબંધમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં સિદ્ધાંતો, નવીન ફાઇનાન્સિંગ અને શહેરી પરિવહનમાં પડકારોને ધ્યાનમાં રાખીને શહેરી પરિવહનમાં વિવિધ માધ્યમોનાં સંકલન, બહુપક્ષીય અને દ્વિપક્ષીય ભંડોળનાં સંકલન માટે માળખાગત કાર્ય પર ચર્ચા કરવામાં આવશે.
તે સ્વચ્છ હવાઈ શહેરો, શહેરી નૂર, ભારતનાં નાનાં અને મધ્યમ શહેરો માટે શહેરી પરિવહન સમાધાનો, 15 મિનિટનાં શહેરો અને સ્થાયી શહેરી પરિવહન, સરકારી પરિવહનમાં સરકારી ખાનગી ભાગીદારીની ભૂમિકા વગેરે માટે વિઝન પણ કેન્દ્રિત કરશે.
આ પ્રદર્શન, જેમાં ભારત અને વિદેશમાં શહેરી પરિવહનમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ, અત્યાધુનિક શહેરી પરિવહન ટેકનોલોજી, સેવાઓ અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં પ્રદર્શન સામેલ છે, જે દર વર્ષે આયોજિત યુએમઆઈ કોન્ફરન્સનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેનું ઉદઘાટન પ્રથમ દિવસે મુખ્ય અતિથિના હસ્તે કરવામાં આવશે અને તે તમામ 3 દિવસ ચાલુ રહેશે. મેટ્રો રેલ કંપનીઓ, સરકારી ( Gujarat Government ) અને ખાનગી ક્ષેત્રોના લગભગ 76 પ્રદર્શકો ભાગ લેશે.
આ સમાચાર પણ વાંચો: Western Railway Special Trains: તહેવારોમાં મુસાફરો માટે પશ્ચિમ રેલવે શુરુ કરશે વિશેષ ટ્રેનો, અમદાવાદ મંડળથી ચલાવશે આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો..
UMI Conference and Exhibition Gandhinagar: કાર્યસૂચિમાં સમાવિષ્ટ વિવિધ ટેકનિકલ સત્રો અને ગોળમેજી ચર્ચાઓ નીચે મુજબ છે: –
- શહેરી ગતિશીલતાને ઓપ્ટિમાઇઝ કરવા માટેના ધોરણોમાં સુમેળ: ભારત સંદર્ભમાં આગળનો માર્ગ (કોન્ક્લેવ સેશન)
- શહેરી ગતિશીલતામાં મોડ્સના સંકલનના આયોજન માટેનું માળખું
- બહુપક્ષીય અને દ્વિપક્ષીય ભંડોળ તથા મેક ઇન ઇન્ડિયા વચ્ચે સુમેળઃ
- શહેરી અવકાશમાં ઇ-બસ ઇકો-સિસ્ટમ
- મેટ્રો સિસ્ટમનો બેન્ચમાર્કિંગ ખર્ચ
- ભારતનાં ઇ-બસ સંક્રમણ માટે ડીપીઆઇનાં સિદ્ધાંતોનો ઉપયોગઃ
- પરિવહન ધિરાણમાં નવીન અભિગમોઃ
- શહેરી ગતિશીલતામાં જાતિને લગતા મુદ્દાઓ
- સ્વચ્છ હવાનાં શહેરો માટે વિઝન – શહેરી પરિવહનની અસરઃ
- નવીન પડકાર
- શહેરી નૂરને સુવ્યવસ્થિત કરવા.
- તમામ માટે સક્રિય મોબિલિટી – ભારતના શહેરી પ્રવાસને પુનઃવ્યાખ્યાયિત કરવીઃ
- ભારતમાં નાનાં અને મધ્યમ શહેરો માટે શહેરી પરિવહન સમાધાનોઃ
- ભારતમાં મેટ્રો સિસ્ટમમાં બજારની તકો અને નવીન પ્રવાહોઃ
- 15-મિનિટના શહેરોનું નિર્માણ – એક માર્ગ જે સતત શહેરી ગતિશીલતા તરફ દોરી જાય છે:
- ભારતીય શહેરોનાં મુખ્ય ક્ષેત્રોમાં મોબિલિટી વ્યવસ્થાને સ્ટાન્ડર્ડાઇઝ કરવીઃ
પાર્શ્વ ભાગ
ભારત સરકારની રાષ્ટ્રીય શહેરી પરિવહન નીતિ (એનયુટીપી), 2006, અન્ય બાબતો ઉપરાંત, શહેરી પરિવહન સાથે સંકળાયેલા નવા પડકારોને પહોંચી વળવા માટે રાજ્ય અને શહેર સ્તરે ક્ષમતાઓના નિર્માણ પર ભાર મૂકે છે અને સમાજના તમામ વર્ગો માટે સમાન અને ટકાઉ શહેરી પરિવહન પ્રણાલી વિકસાવવા માટેની માર્ગદર્શિકા નક્કી કરે છે. એનયુટીપી (NUTP) ઉચ્ચારણોના ભાગરૂપે મંત્રાલયે યુએમઆઇ તરીકે લોકપ્રિય એવા અર્બન મોબિલિટી ઇન્ડિયા પર આ વાર્ષિક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ-કમ-એક્ઝિબિશનનું આયોજન કરવાની પહેલ કરી હતી. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ શહેરોમાં માહિતીનો પ્રસાર કરવાનો છે, જેથી તેઓ વૈશ્વિક સ્તરે નવીનતમ અને શ્રેષ્ઠ શહેરી પરિવહન પદ્ધતિઓ સાથે અદ્યતન રહી શકે. આ કોન્ફરન્સ અન્ય વ્યાવસાયિકો, ટેકનોલોજી અને સર્વિસ પ્રોવાઇડર્સ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને સાથે આદાનપ્રદાન કરવાની તક પૂરી પાડે છે, જેથી પ્રતિનિધિઓને તેમના શહેરી પરિવહનને સાતત્યપૂર્ણ માર્ગે વિકસાવવા માટે અદ્યતન વલણ પ્રાપ્ત થાય. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, ટેકનોલોજી અને સર્વિસ પ્રોવાઇડર્સ, નીતિ ઘડવૈયાઓ, પ્રેક્ટિશનર્સ અને શહેરી પરિવહન ક્ષેત્રના અધિકારીઓને એક જ છત હેઠળ લાવવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Kajol: કાજોલ એ પાપારાઝી સાથે ગેરવર્તણૂક કરવા પર તોડ્યું મૌન, મીડિયા સામે રાખી પોતાની વાત
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.