ત્રીજી લહેર માટે મહાનગરપાલિકાની જોરદાર તૈયારી 300 બાળકોના ડોકટરોની ટ્રેનિંગ પતી. જાણો વિગત …

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 જૂન, 2021

સોમવાર

મહારાષ્ટ્રમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં નાનાં બાળકોને જોખમ વધારે હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. એથી મુંબઈ મહાનગરપાલિકા પોતાની ચાર મુખ્ય હૉસ્પિટલ સહિત ખાનગી બાળરોગ નિષ્ણાતોને ટ્રેનિંગ આપી રહી છે. અત્યાર સુધીમાં 300 ડૉક્ટર્સને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. 3,000થી વધુ ડૉક્ટરોને ટ્રેનિંગ આપવામાં આવશે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ઝડપે નિયંત્રણમાં આવી છે. મુંબઈનો હાલનો પૉઝિટિવિટી રેટ 5.56 ટકા છે. સાજા થવાનું પ્રમાણ 95 ટકા છે. કોરોનાના દર્દી બમણા થવાનો સમયગાળો 511 દિવસ  છે.  છતાં મુંબઈ પાલિકાએ જુલાઈ અથવા ઑગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેરના જોખમના ધ્યાનમાં રાખીને તૈયારી ચાલુ કરી દીધી છે.

મુંબઈનું આકાશ કાળું ડિબાંગ, અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ; જાણો વધુ વિગત

ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમ છે. એથી તમામ હૉસ્પિટલમાં બાળકો માટે  10થી 15 બેડ રહેલા વૉર્ડ રિર્ઝવ રહેશે.  મુલુંડ જમ્બો કોવિડ કૅર સેન્ટરમાં 100, ગોરેગામના નેસ્કોમાં 100થી 200 અને દહિસર જમ્બો કૅર સેન્ટરમાં 100 બેડ બાળકો માટે રાખવામાં આવ્યા છે. ઑક્સિજન બેડ, વેન્ટિલેટર અને ICUની પણ વ્યવસ્થા કરી છે. બાળકોમાં કોરોનાનાં લક્ષણો જણાય તો એની સારવાર, દર્દીને કઈ હૉસ્પિટલમાં મોકલવો વગેરેની ટ્રેનિંગ બાળનિષ્ણાત સહિત અન્ય ડૉક્ટરોને આપવામાં આવી છે. આ ટ્રેનિંગ ઑફલાઇન અને ઑનલાઇન છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More