Site icon News Continuous Bureau | Mumbai

ત્રીજી લહેર માટે મહાનગરપાલિકાની જોરદાર તૈયારી 300 બાળકોના ડોકટરોની ટ્રેનિંગ પતી. જાણો વિગત …

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 જૂન, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં નાનાં બાળકોને જોખમ વધારે હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. એથી મુંબઈ મહાનગરપાલિકા પોતાની ચાર મુખ્ય હૉસ્પિટલ સહિત ખાનગી બાળરોગ નિષ્ણાતોને ટ્રેનિંગ આપી રહી છે. અત્યાર સુધીમાં 300 ડૉક્ટર્સને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. 3,000થી વધુ ડૉક્ટરોને ટ્રેનિંગ આપવામાં આવશે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ઝડપે નિયંત્રણમાં આવી છે. મુંબઈનો હાલનો પૉઝિટિવિટી રેટ 5.56 ટકા છે. સાજા થવાનું પ્રમાણ 95 ટકા છે. કોરોનાના દર્દી બમણા થવાનો સમયગાળો 511 દિવસ  છે.  છતાં મુંબઈ પાલિકાએ જુલાઈ અથવા ઑગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેરના જોખમના ધ્યાનમાં રાખીને તૈયારી ચાલુ કરી દીધી છે.

મુંબઈનું આકાશ કાળું ડિબાંગ, અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ; જાણો વધુ વિગત

ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમ છે. એથી તમામ હૉસ્પિટલમાં બાળકો માટે  10થી 15 બેડ રહેલા વૉર્ડ રિર્ઝવ રહેશે.  મુલુંડ જમ્બો કોવિડ કૅર સેન્ટરમાં 100, ગોરેગામના નેસ્કોમાં 100થી 200 અને દહિસર જમ્બો કૅર સેન્ટરમાં 100 બેડ બાળકો માટે રાખવામાં આવ્યા છે. ઑક્સિજન બેડ, વેન્ટિલેટર અને ICUની પણ વ્યવસ્થા કરી છે. બાળકોમાં કોરોનાનાં લક્ષણો જણાય તો એની સારવાર, દર્દીને કઈ હૉસ્પિટલમાં મોકલવો વગેરેની ટ્રેનિંગ બાળનિષ્ણાત સહિત અન્ય ડૉક્ટરોને આપવામાં આવી છે. આ ટ્રેનિંગ ઑફલાઇન અને ઑનલાઇન છે.

Mumbai Police EOW Loan Fraud। મુંબઈ EOW ની કોર્પોરેટ જગત પર મોટી કાર્યવાહી જાણીતા ઉદ્યોગ જૂથની કંપનીઓના પૂર્વ ડાયરેક્ટરો સામે ૧૫૦ કરોડની લોન છેતરપિંડીનો કેસ
Western Railway Encroachment Drive। હાઈકોર્ટના આદેશ બાદ રેલ્વે એક્શનમાં મલાડગોરેગાંવ વચ્ચે રેલ્વે ટ્રેક આસપાસના દબાણો સાફ
Mumbai Police Orchestra Bar Raid। મુંબઈ પોલીસની ઓર્કેસ્ટ્રા બાર પર મોટી કાર્યવાહી લાયસન્સના નિયમોનો ભંગ કરનારા બે બાર સામે ગુનો દાખલ
Siddhivinayak Temple Renovation। અદ્ભુત અને અલૌકિક! ભક્તિભાવ સાથે બદલાશે સિદ્ધિવિનાયક મંદિરનું સ્થાપત્ય; મુખ્યમંત્રીએ શેર કરી કાયાકલ્પની ભવ્ય તસવીરો
Exit mobile version