બસમાં લાગતી આગની અસર.. એક જ દિવસમાં બેસ્ટના ચાર લાખ મુસાફરો ઘટ્યા! 36 માર્ગો પર હજારો મુંબઈકરોના હાલ બેહાલ 

તાજેતરમાં બેસ્ટ ઉપક્રમની સીએનજી બસોમાં આગ લાગતાં બેસ્ટ પ્રશાસને 412 બસો રોડ પરથી હટાવી દીધી હતી. જોકે આ નિર્ણયના પગલે બેસ્ટને મોટો ઝટકો લાગ્યો છે. બેસ્ટે એક જ દિવસમાં 4 લાખ મુસાફરો ગુમાવ્યા છે.એક તરફ જ્યાં બેસ્ટના આ નિર્ણયથી મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે બેસ્ટને મોટું નુકસાન થઈ રહ્યું છે. 2,100 કરોડનું નુકસાન સહન કરી રહેલા બેસ્ટ ઉપક્રમ છેલ્લા ત્રણ વર્ષથી મુસાફરોની સંખ્યા વધારવા માટે વિવિધ પગલાં લઈ રહી છે.

by kalpana Verat
BEST Strike: Best contract workers insist on demands, sixth day of strike, plight of passengers in Mumbai

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં બેસ્ટ ઉપક્રમની સીએનજી બસોમાં આગ લાગતાં બેસ્ટ પ્રશાસને 412 બસો રોડ પરથી હટાવી દીધી હતી. જોકે આ નિર્ણયના પગલે બેસ્ટને મોટો ઝટકો લાગ્યો છે. બેસ્ટે એક જ દિવસમાં 4 લાખ મુસાફરો ગુમાવ્યા છે.એક તરફ જ્યાં બેસ્ટના આ નિર્ણયથી મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે બેસ્ટને મોટું નુકસાન થઈ રહ્યું છે. 2,100 કરોડનું નુકસાન સહન કરી રહેલા બેસ્ટ ઉપક્રમ છેલ્લા ત્રણ વર્ષથી મુસાફરોની સંખ્યા વધારવા માટે વિવિધ પગલાં લઈ રહી છે.

આ બેસ્ટમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા દૈનિક 23 લાખથી વધીને 35 લાખ થઈ હતી, પરંતુ બેસ્ટ પ્રશાસન દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને લેવાયેલા નિર્ણયને કારણે તેને ભારે ફટકો પડી રહ્યો છે.

મુસાફરોની સંખ્યામાં ઘટાડો

બેસ્ટ પ્રશાસને મુંબઈમાં ચાલતા સેંકડો બસ રૂટમાંથી 36 બસ રૂટમાંથી 412 સીએનજી બસો હટાવી હતી. જેના કારણે બસોના રોજના મુસાફરોની સંખ્યામાં 4 લાખ મુસાફરોનો ઘટાડો થયો છે. તે સમયે બેસ્ટની બસોમાં દરરોજ 35 લાખ મુસાફરો મુસાફરી કરતા હતા, જે હવે 31 લાખ થઈ ગયા છે.

મુસાફરોની તકલીફ વધી

બેસ્ટ પ્રશાસને માહિતી આપી હતી કે જે રૂટ પરથી બસો હટાવવામાં આવી છે તેના પર 297 વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. બેસ્ટ દ્વારા પાછી ખેંચાયેલી સીએનજી બસોના રૂટ પર અન્ય રૂટ પર દોડતી બસો ગોઠવવામાં આવી છે. જેના કારણે જે રૂટ પરથી બસ હટાવવામાં આવી હતી તે રૂટના મુસાફરોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. 10મા અને 12માની પરીક્ષા ચાલી રહી છે ત્યારે બેસ્ટે બસો રદ કરી છે. જેના કારણે શાળાના બાળકોને પણ તકલીફ પડી રહી છે.

આ સમાચાર પણ વાંચો : આવું તે કેવું? 512 કિલો ડુંગળી વેચ્યા બાદ ખેડૂતને માત્ર 2 રૂપિયાની જ કમાણી, જાણો આખો મામલો

ઉલ્લેખનીય છે કે એક મહિનામાં  બેસ્ટ ઉપક્રમની બસમાં આગની ત્રીજી ઘટનાને પગલે મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્ન ઉભો થયો હતો. તેથી મુસાફરોની સલામતી માટે લીઝ પર બસ સેવા પૂરી પાડતી સંબંધિત ‘માતેશ્વરી’ કંપનીની 412 બસોની સેવા બુધવારથી બંધ કરી દેવામાં આવી હતી.  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More