Site icon

સાચવજો.. મુંબઈ શહેરમાં કોરોના પછી આ બીમારીનો કહેર, અત્યાર સુધીમાં 164 બાળકો આવ્યા રોગની ચપેટમાં..

4 thousand 355 suspected patients of measles

ચિંતાજનક સમાચાર, મુંબઈ શહેરમાં ઓરીના 4 હજાર 355 શંકાસ્પદ દર્દીઓ..

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વાઇરલ સંક્રમણના (viral infection) પ્રકોપ વચ્ચે ઓરીના કેસમાં (measles cases) વધારો નોંધાયો છે. શહેરમાં ઓરીના દર્દીઓની (measles patients) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, 26 ઓક્ટોબરથી શહેરમાં 164 દર્દીઓ મળી આવ્યા છે. તેમ જ અત્યાર સુધીમાં સાત બાળકો શંકાના દાયરામાં મૃત્યુ પામ્યા છે. જો કે આ બાળકોના મોતનું (Children deaths) કારણ મોતના કારણની તપાસ માટે નિમાયેલી કમિટીના રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે, પરંતુ ઓરીના ચેપની ગંભીરતાને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) અને રાજ્ય સરકારે (State Govt)  પગલાં લીધાં છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ (Chief Minister Eknath Shinde) નિર્દેશ આપ્યો કે મુંબઈ મહાનગરપાલિકાએ (BMC) તાત્કાલિક તમામ જરૂરી પગલાં લેવા જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે ચેપ નિયંત્રણમાં રહે.

Join Our WhatsApp Community

મુંબઈના આઠ વિભાગોમાં ઝૂંપડપટ્ટીમાં સૌથી વધુ ઓરીના કેસ છે. આ 50 દર્દીઓમાંથી મોટાભાગના ગોવંડીમાં (Govandi) છે. તેની નીચે, કુર્લા વિભાગમાં 31 દર્દીઓ મળી આવ્યા છે. ઉપરાંત, મુંબઈમાં 26 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સાત બાળકો ઓરીના કારણે મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. આ શંકાસ્પદ મૃત્યુ ચાર કસ્તુરબા હોસ્પિટલમાં (Kasturba Hospital) , બે રાજાવાડી હોસ્પિટલમાં (Rajawadi Hospital) અને એક બાળકનું ઘરે મૃત્યુ થયું છે. નગરપાલિકાએ ઘરે-ઘરે જઈ સર્વે શરૂ કર્યો છે અને લક્ષણો દર્શાવતા બાળકોને ‘વિટામીન A’ના બે ડોઝ આપવામાં આવ્યા છે. નગરપાલિકાના એડિશનલ કમિશનર (Additional Municipal Commissioner) સંજીવ કુમારે (Sanjeev Kumar) જણાવ્યું કે જે બાળકોના લક્ષણો વધુ ગંભીર છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: મધ્ય રેલવે પર 27 કલાકના મેગા બ્લોકને કારણે 1,096 લોકલ ટ્રેનો રદ! મુંબઈકરોની સેવામાં દોડશે BESTની આટલી વધારાની બસો… જાણો શેડ્યુઅલ

ઓરીના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને કસ્તુરબા હોસ્પિટલમાં ત્રણ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 83 બેડ, દસ આઈસીયુ બેડ અને પાંચ વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવી જ રીતે, ગોવંડી, માનખુર્દ, કુર્લા વિસ્તારોમાં દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને, ગોવંડી શતાબ્દી હોસ્પિટલમાં દસ બેડ વધારવામાં આવ્યા છે. ઉપરાંત, મ્યુનિસિપલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા કરતા પહેલા ગોવંડીમાં પ્રસૂતિ ગૃહમાં એક આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવશે.

બીજી તરફ રાજ્ય સરકારે પણ આ મુદ્દાઓને ગંભીરતાથી લીધા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દર્દીઓની વધતી સંખ્યા સામે પગલાં અને રસીકરણ વિશે માહિતી મેળવવા માટે આજે (ગુરુવારે) મ્યુનિસિપલ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી છે. ગોવંડીમાં 

ઓરીનો ચેપ

વોર્ડ – દર્દી

M-પૂર્વ – 54

P- દક્ષિણ – 28

P-ઉત્તર – 14

E – 8

F-ઉત્તર – 12

H-દક્ષિણ-3

L – 2

M- પશ્ચિમ – 6

P-ઉત્તર – 14

H-પૂર્વ – 10

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version