Site icon

મુંબઈ શહેરની દરિયાદિલી ભારે પડી રહી છે, હૉસ્પિટલમાં બહારગામના દર્દીઓ છે અને આંકડા મુંબઈ શહેરના બગડે છે

ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 12 જૂન 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે જ્યારે કાયદો બનાવ્યો ત્યારે સ્પષ્ટતા કરી હતી કે જે શહેરની હૉસ્પિટલમાં ખાલી ખાટલાની સંખ્યા ટકાવારી પ્રમાણે વધશે ત્યાં lockdownને ખોલવામાં આવશે. હવે મુંબઈ શહેરના મામલે આ વસ્તુ વિપરીત ઠરી રહી છે. મુંબઈ દરિયાદિલ શહેર હોવાને કારણે માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યમાંથી લોકો ઉપચાર કરાવવા માટે આવી પહોંચે છે. હાલમાં આંખોના ફંગસના જેટલા કેસ હૉસ્પિટલમાં ભરતી થયા છે એમાંથી ૭૫ ટકા કેસ મુંબઈ શહેરની બહારના છે. આ વ્યક્તિઓએ હૉસ્પિટલના ખાટલા પૅક કરી રાખ્યા છે. બીજી તરફ અનેક લોકો પોતાનો કોરોનાનો ઇલાજ કરાવવા માટે મુંબઈ શહેરમાં આવી પહોંચે છે. મુંબઈ શહેરમાં ૪૭ ટકાથી વધુ ખાટલાઓ આવા લોકોથી ભરેલા છે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરનો હૉસ્પિટલનો રેટ કદી સુધરશે નહીં તો ત્યાં સુધી મુંબઈના વેપારીઓએ સહન કરવાનું?

મુંબઈ મહાનગરપાલિકાએ વેપારીઓને રીતસરના મૂર્ખ બનાવ્યા, તમામ માનકો પર ખરા ઊતર્યા પછી પણ મુંબઈમાં પ્રતિબંધો ચાલુ

મુંબઈ મહાનગરપાલિકાએ આ સવાલનો સાર્વજનિક રીતે જવાબ આપવો જોઈએ.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version