અઠવાડિયા બાદ ફરી કોરોના દર્દીઓની સંખ્યા ૫૦૦ને પાર,  જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર

મુંબઈમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું સંકટ છવાયેલું છે. ત્યારે લગભગ એક અઠવાડિયા બાદ મુંબઈમાં આજે કોરોના દર્દીઓની દૈનિક સંખ્યા ૫૦૦ના આંકડાને પાર કરી ગઇ છે. ગત ૨૪ કલાકમાં ૨૯,૮૮૬ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૫૧૪ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. 

આ પહેલાં ૮મી સપ્ટેમ્બરના રોજ ૫૩૦ કોરોના દર્દીઓ નોંધાયા હતા. આજના કોરોના દર્દીઓની સંખ્યા બાદ  મુંબઈના અત્યાર સુધીના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭,૩૬,૨૮૪  સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મુંબઈમાં ૧૬,૦૩૭ નાગરિકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. 

મુંબઈમાં મહિલાઓ માટે ખાસ રસીકરણ અભિયાન, આવતીકાલે શહેરના આ વેક્સિનેશન સેન્ટર પર માત્ર મહિલાઓને મળશે રસી; જાણો વિગતે

ગત મંગળવારે ૨૮,૪૯૮ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ દિવસની કોરોના ટેસ્ટની સંખ્યા ચાલુ મહિના દિવસોની સૌથી ઓછી સંખ્યા હતી. તેવી માહિતી મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓએ આપી છે. ગત મંગળવારે મુંબઈમાં ૩૬૭  કોરોના દર્દીઓની નોંધ થઈ હતી . ગત મંગળવાર બાદ ચાર દિવસ કોરોના દર્દીઓની સંખ્યા ૪૦૦ના આંકડાથી નીચે રહી હતી. જે આજે ૫૦૦ને પાર કરી ગઇ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More