Site icon News Continuous Bureau | Mumbai

Dahisar Firing: મુંબઈમાં અભિષેક ઘોસાલકરની હત્યા બાદ, પોલીસ આવી એકશન મોડમાં.. કાયદો અને વ્યવસ્થા જાળવવા લેવાયો આ મોટો નિર્ણય..

Dahisar Firing: મુંબઈમાં છેલ્લા બે મહિનાની સતત બે ગોળીબારની ઘટનાઓ બની છે. ત્યારે હવે મુંબઈ પોલીસે આવી ઘટનાઓ બનતા અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે.

After the murder of Abhishek Ghosalkar in Mumbai, the police are in action mode, big decision was taken to maintain law and order

After the murder of Abhishek Ghosalkar in Mumbai, the police are in action mode, big decision was taken to maintain law and order

News Continuous Bureau | Mumbai 

Dahisar Firing: ઉલ્હાસનગરમાં ગણપત ગાયકવાડ પર ગોળીબારની ઘટના હજી તાજી જ છે. ત્યારે મુંબઈના દહિસર વિસ્તારમાં ફરી ગોળીબારની ઘટના બની હતી. શિવસેના ઠાકરેના ( UBT ) ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાલકરના પુત્ર અભિષેક ઘોસાલકરની ( Abhishek Ghosalkar )  દહિસરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ( law and order ) સમસ્યા સર્જાઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ( Mumbai Police ) મોટો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

પોલીસે મુંબઈમાં શસ્ત્ર લાઇસન્સ ધારકોની ( Arms license holders ) હવે તપાસ શરૂ કરી છે. તેમજ તેમની પાસે રહેલા હથિયારના લાયસન્સ ( Arms license ) પણ ચકાસવામાં આવશે. તેમજ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જે કોઈ પણ બોગસ હથિયાર લાઇસન્સ ધરાવે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે.

  મુંબઈમાં 11 હજાર 500 જેટલા લોકો પાસે હથિયારના લાઇસન્સ છેઃ સુત્રો..

સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં 11 હજાર 500 જેટલા લોકો પાસે હથિયારના લાઇસન્સ છે. આ લાયસન્સની ચકાસણી કરવા માટે દરેક પોલીસ સ્ટેશનની હદમાં રાજકીય વ્યક્તિઓ, વ્યાવસાયિકો અને બોડીગાર્ડની માહિતી એકત્ર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Pakistan Election 2024: પાકિસ્તાન ચૂંટણીમાં હાલ મતગણના, ત્યારે સમજો પાડોશી દેશની આખી ચૂંટણીને આટલા મુદ્દામાં…

એક મિડીયા રિપોર્ટ મુજબ, લાયસન્સ તપાસ સમયે તે પણ પોલીસ જાણ કરશે, શું લાયસન્સ ધરાવતા વ્યક્તિનો કોઈની સાથે વિવાદ છે? તે હાલમાં શું કરે છે? શું લાયસન્સધારક પોતે કોઈ તણાવમાં છે? પોલીસ દ્વારા આવી બાબતોની સમીક્ષા પણ લેવામાં આવશે.

એટલું જ નહીં, પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે પેટ્રોલિંગમાં રહેલા પોલીસકર્મીઓને પણ તમામ રાજકીય ઘટનાક્રમો અને ગુનાહિત વલણ ધરાવતા લોકો પર તકેદારી રાખવા સૂચના આપી છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ, બિહારથી મુંબઈમાં દેશી કટ્ટા લાવનારા અને વેચનારાઓની પણ તપાસ કરવામાં આવશે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version