Site icon News Continuous Bureau | Mumbai

પ્રથમ ગ્રાસે મક્ષિકા! થિયેટરો ખૂલવાની આતુરતાથી રાહ જોનારા દર્શકો પહેલા દિવસે દેખાયા જ નહીં; જાણો શું છે કારણ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 23 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

થિયેટરમાં ગઈ કાલથી પ્રેક્ષકોનું આગમન શરૂ થઈ ગયું છે. છ મહિનાની લાંબી પ્રતીક્ષા બાદ શુક્રવારે 50% ક્ષમતા સાથે સિનેમાઘરો ખૂલી ગયાં છે. જોકે પ્રથમ દિવસે દર્શકોની સંખ્યા બહુ જ ઓછી જોવા મળી હતી. એની પાછળનું કારણ એ હોઈ શકે કે જે ફિલ્મ અન્ય રાજ્યોમાં અથવા OTT ઉપર રિલીઝ થઈ ગઈ છે એ જ ફિલ્મો ગઈ કાલે ચલાવાઈ હતી.

 શુક્રવારે ‘ભવાઈ’, ‘બેલ બૉટમ’ અને ‘વેનમ’ જેવી બૉલિવુડ અને હૉલિવુડ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી, એટલે બહુ જ ઓછા દર્શકો દેખાયા હતા. પ્રતીક ગાંધીની ફિલ્મ ‘ભવાઈ’ સિવાય લગભગ બધી જૂની ફિલ્મો જ રીલિઝ થઈ હતી. એથી દર્શકોએ થિયેટરમાં આવવાની દિલચસ્પી દેખાડી નહીં. ફિલ્મ ટ્રેન્ડના નિષ્ણાત કોમલ નાહટાએ જણાવ્યું હતું કે સિનેમાઘરોમાં જ્યાં સુધી નવું કન્ટેન્ટ નહીં હોય ત્યાં સુધી ઓડિયન્સ નહીં આવે. સિનેમાગૃહમાં રજૂ કરાયેલી ફિલ્મો પર 'નૉટ ન્યૂ'નો સ્ટૅમ્પ લાગ્યો છે. 

મુંબઈનું અગ્નિ તાંડવ : ઘોડા ભાગી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ. પાલિકા કમિશનરે આ આદેશ આપ્યા.

પાંચમી નવેમ્બરે થિયેટરોમાં રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી' રજૂ થશે, ત્યારે દર્શકોની ભીડ જોવા મળે એવી અપેક્ષા સિનેમાઘરોના સંચાલકોને છે. બીજી બાજુ, ફિલ્મપ્રેમીઓને સિનેમાઘરો ખૂલ્યાનો ઉત્સાહ પણ છે. એક દર્શકે જણાવ્યું હતું કે નવી ફિલ્મો રિલીઝ થયા બાદ ફૅમિલી જોડે ફિલ્મ જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version