Site icon News Continuous Bureau | Mumbai

Amit Thackeray: અમિત ઠાકરેએ કરી આશિષ શેલાર સાથે મુલાકાત લીધી, આ મુદ્દા પર કરી ચર્ચા, ગણેશોત્સવ સાથે છે સંબંધ

Amit Thackeray: મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના અધ્યક્ષ અમિત ઠાકરેએ મુંબઈમાં સાંસ્કૃતિક મંત્રી આશિષ શેલારને મળીને ગણેશોત્સવના સમયગાળા દરમિયાન શાળા અને કોલેજની પરીક્ષાઓ મુલતવી રાખવાની માંગ કરી હતી. તેમણે આ અંગે એક પત્ર પણ સુપરત કર્યો હતો.

Amit Thackeray અમિત ઠાકરેએ કરી આશિષ શેલાર સાથે મુલાકાત લીધી

Amit Thackeray અમિત ઠાકરેએ કરી આશિષ શેલાર સાથે મુલાકાત લીધી

News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના અધ્યક્ષ અમિત ઠાકરેએ આજે મુંબઈમાં મંત્રી અને ભાજપના નેતા આશિષ શેલારની મુલાકાત લીધી. આ મુલાકાત સવારે ૯:૩૦ વાગ્યે બાંદ્રામાં આશિષ શેલારની ઓફિસમાં થઈ. આ દરમિયાન અમિત ઠાકરેએ ગણેશોત્સવના સમયગાળા દરમિયાન શાળા અને કોલેજોની પરીક્ષાઓનું સમયપત્રક કામચલાઉ રીતે રદ કરી તેને આગળ ધપાવવાની માંગ કરી. અમિત ઠાકરેએ એક પત્ર આપીને આશિષ શેલાર સમક્ષ કેટલીક માંગણીઓ રજૂ કરી છે.

ગણેશોત્સવનું સાંસ્કૃતિક મહત્વ અને ઠાકરેની ચેતવણી

અમિત ઠાકરેએ પત્રમાં જણાવ્યું છે કે ગણેશોત્સવ ફક્ત ધાર્મિક તહેવાર નથી, પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે તેમના પરિવાર અને સમાજ સાથે આ તહેવારની ઉજવણી કરવી એ તેમની સંસ્કૃતિ સાથેના જોડાણને જાળવી રાખવાની જવાબદારી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, તેમણે શાળા શિક્ષણ વિભાગને તાત્કાલિક નિર્ણય લેવા અને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની અપેક્ષા વ્યક્ત કરી. તેમણે ચેતવણી પણ આપી કે જો સરકાર આ માંગણી પર ધ્યાન નહીં આપે તો મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેના સમગ્ર રાજ્યમાં ગણેશોત્સવ દરમિયાન પરીક્ષાઓ યોજાવા દેશે નહીં અને તેના માટે જરૂરી આંદોલન કરશે.

Join Our WhatsApp Channel

અમિત ઠાકરેની મુખ્ય માંગણીઓ

પત્રમાં અમિત ઠાકરે દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:
રાજ્યની તમામ શાળાઓ (જેમ કે SSC, CBSE, ICSE, CISCE, IB, IGCSE, MIEB, NIOS બોર્ડ), તમામ કોલેજો (રાજ્ય, માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી, ખાનગી યુનિવર્સિટી તેમજ રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ) અને તમામ શાળાકીય/ઉચ્ચ શિક્ષણ નિદેશાલયોને તાત્કાલિક આદેશ આપવામાં આવે કે રાજ્ય મહોત્સવ તરીકે જાહેર કરાયેલા ગણેશોત્સવના અગિયાર દિવસના સમયગાળામાં (ગણેશ ચતુર્થી થી અનંત ચતુર્દશી) કોઈપણ પરીક્ષાનું આયોજન કરવામાં ન આવે.
જો આ સમયગાળામાં કોઈ પરીક્ષા નક્કી કરવામાં આવી હોય તો તેને તાત્કાલિક રદ કરીને આગળ ધપાવવામાં આવે.
સરકારી નીતિનો વિરોધ કરનાર યુનિવર્સિટીઓ અને કોલેજો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
વિદ્યાર્થીઓને આ રાજ્ય મહોત્સવમાં સંપૂર્ણ રીતે ભાગ લેવાનો મોકો મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.

આ સમાચાર પણ વાંચો : Star Air: સ્ટાર એર એ શરૂ કરી સુરતથી ભુજ અને જામનગર માટે દૈનિક સીધી ફ્લાઇટ સેવા, જાણો તેના સમયપત્રક વિશે

આશિષ શેલારની મુલાકાત બાદ અમિત ઠાકરેનું નિવેદન

આશિષ શેલાર સાથેની મુલાકાત બાદ અમિત ઠાકરેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમની એક જ મુખ્ય માંગ હતી કે ૨૭મી તારીખથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે, પરંતુ આ સમયગાળા દરમિયાન પરીક્ષાઓ રાખવામાં આવી છે. ઘણા વિદ્યાર્થીઓ પોતાના વતન અને કોંકણ જાય છે. તેથી, બધાને તહેવારની ઉજવણી કરવા મળે તે માટે પરીક્ષાઓને મુલતવી રાખવાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બધાને પત્રો આપવાને બદલે તેમણે સીધા સાંસ્કૃતિક મંત્રીને પત્ર આપવાનું યોગ્ય માન્યું. ઉદ્ધવ ઠાકરેને ગણેશોત્સવના આમંત્રણ અંગે પૂછવામાં આવતા, અમિત ઠાકરેએ કહ્યું કે “તમને સરપ્રાઇઝ મળશે.”

Mumbai Local Train Fight મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી દંગલ! ભીડભાડવાળા ડબ્બામાં બે યુવકો વચ્ચે છુટ્ટા હાથે મારામારી…
Mumbai InterState Drug Supplier Arrested મુંબઈ પોલીસની મોટી સફળતા બાંદ્રા ટર્મિનસ પરથી રૂ. ૧૦ કરોડનું ચરસ ઝડપાયું, ડ્રગ્સ સપ્લાયર જેલના સળિયા પાછળ
Digital Arrest Scam એફડી અને મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને મુંબઈની મહિલા સાથે ૭.૨૧ કરોડની છેતરપિંડી, જાણો કેવી રીતે ફસાવ્યા?
Mumbai Parel Clash પરેલમાં ઈદના જુલૂસ દરમિયાન અથડામણ જેવી સ્થિતિ, પોલીસની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં
Exit mobile version