216
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 માર્ચ 2021
મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ગેરકાયદેસર હુક્કા પાર્લર, ડાન્સબાર, પબ અથવા નશીલા પદાર્થોના કારોબાર પર રોક લગાવવા માટે હવે નવું પગલું ભર્યું છે. મહારાષ્ટ્રના વિધાન પરિષદમાં ગૃહમંત્રી અનિલ દેશમુખે આ સંદર્ભે ની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ જોવા મળશે તે પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ વિરુદ્ધ સરકાર પગલાં લેશે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક મુંબઈવાસીઓ નો આરોપ છે કે મુંબઈ શહેરમાં જેટલા ગેરકાયદેસર કામો ચાલે છે તેમાં પોલીસની મિલીભગત હોય છે. હવે આ આરોપનો છેદ ઉડશે.
જે લોકો પાસે વીજળીના બીલ ભરવાના પૈસા નથી તેમનું કનેક્શન નહીં કપાય. કોરોના ને કારણે સરકારનો નિર્ણય.
You Might Be Interested In
