ઉદ્ધવ ઠાકરે જૂથ નેતા અનિલ પરબને ઝટકો, ઇડીએ જપ્ત કરી અધધ આટલા કરોડની સંપત્તિ.. જાણો શું છે સમગ્ર મામલો

ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા અનિલ પરબની સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. દાપોલીમાં સાઈ રિસોર્ટના મામલામાં ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 10.20 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે

by Dr. Mayur Parikh
Anil Parab in trouble; ED attaches assets worth Rs 10 Cr to Shiv Sena UBT camp leader in PMLA case

News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરે જૂથના ( Shiv Sena UBT ) શિવસેના નેતા અનિલ પરબની ( Anil Parab ) સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. દાપોલીમાં સાઈ રિસોર્ટના મામલામાં ( PMLA case )  ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 10.20 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. EDએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

આ જપ્ત કરાયેલી સંપત્તિમાં રત્નાગિરિમાં 42 એકર જમીન અને ત્યાં બનેલા સાઈ રિસોર્ટનો સમાવેશ થાય છે. EDએ આ કાર્યવાહી પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની ફરિયાદના આધારે કરી છે.જોકે અનિલ પરબે આ કાર્યવાહી બાદ કહ્યું છે કે મારે આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી અને જો કાર્યવાહી થશે તો હું કોર્ટમાં ફરિયાદ કરીશ.

આ સમાચાર પણ વાંચો :  શિંદે V/S ઠાકરે… ભીમશક્તિ, શિવશક્તિ આવ્યા એકસાથે.. શિંદે જૂથની શિવસેનાએ આ પાર્ટી સાથે કર્યું ગઠબંધન

ઉલ્લેખનીય છે કે દાપોલીમાં સાઈ રિસોર્ટ સંબંધિત કેસમાં ED દ્વારા અનિલ પરબની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી. આ સિવાય ઈડીએ સાઈ રિસોર્ટ કેસમાં પણ સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More