Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના 350 વર્ષ જૂના બાબુલનાથ શિવલિંગમાં નથી પડી તિરાડો, IIT બોમ્બેના રિપોર્ટમાં મંદિરના ટ્રસ્ટને કરાઈ આ ભલામણો..

Babulnath Shivling: No cracks, but care required, recommends IIT Bombay report

મુંબઈના 350 વર્ષ જૂના બાબુલનાથ શિવલિંગમાં નથી પડી તિરાડો, IIT બોમ્બેના રિપોર્ટમાં મંદિરના ટ્રસ્ટને કરાઈ આ ભલામણો..

News Continuous Bureau | Mumbai

મુંબઈના બાબુલનાથ મંદિરના શિવલિંગમાં તિરાડ પડવાના સમાચાર સાંભળીને મંદિર પ્રશાસન સહિત દરેકને આશ્ચર્ય થયું હતું. શિવલિંગને નુકસાન થયા બાદ તેનું કારણ જાણવા માટે IIT-Bombayની મદદ માંગવામાં આવી હતી. જેનો રિપોર્ટ આવી ગયો છે.

Join Our WhatsApp Channel

શ્રી બાબુલનાથ મંદિરના ટ્રસ્ટીઓ એ જાહેરાત કરતા ખુશ છે કે IIT મુંબઈ દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટ પુષ્ટિ કરે છે કે શિવલિંગમાં કોઈ તિરાડ નથી. આ માટે IIT મુંબઈએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને શિવલિંગની તપાસ કરી હતી તેમજ શિવલિંગના ફોટોગ્રાફ્સનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે શિવલિંગમાં કોઈ તિરાડ નથી. IIT મુંબઈએ દેવતાને અર્પણ કરવામાં આવતી વિવિધ વસ્તુઓના નમૂના એકત્ર કર્યા અને તેનું પરીક્ષણ કર્યું. જેથી તે તત્વોની હાજરી શોધી શકાય જે સમય જતાં શિવલિંગમાં ખામી સર્જી શકે છે.

રિપોર્ટના તારણો નીચે મુજબ છે

ભગવાન શિવ અને ભગવાન ગણેશ (જે અનુક્રમે ગ્રેનાઈટ અને આરસપહાણમાંથી બનેલા છે)ની મૂર્તિઓની પૂજા માટે ઉપયોગમાં લેવાતા અર્પણો એસિડિક અને આલ્કલાઇન પ્રકૃતિના હોય છે. સમય જતાં, ઘણી વખત ભીનાશ અને સૂકવવાની સતત પ્રક્રિયા મૂર્તિઓ પર ઘસારો અને તિરાડો (તિરાડો અને ભીંગડા)નું કારણ બની શકે છે. આજુબાજુના ભેજના ઊંચા સ્તરના કારણે ઘર્ષણ, ધોવાણ અને સૂક્ષ્મ તિરાડો વધશે અને રસાયણો મૂર્તિઓની અંદર પ્રવેશ કરશે, જેનાથી તેને ગંભીર નુકસાન થશે. જો શિવલિંગ અને અન્ય મૂર્તિઓ પર પ્રસાદ તરીકે વપરાતી સામગ્રીને મંજૂરી આપવામાં આવે તો સમય જતાં તેમાં તિરાડો પડી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  અદાણી કંપનીમાં કોના 20 હજાર કરોડનું રોકાણ? સાંસદ પદ રદ થયા બાદ રાહુલ ગાંધીનો સવાલ

રિપોર્ટમાં કરવામાં આવેલી કેટલીક ભલામણ આ પ્રમાણે છે:

અહેવાલ અનુસાર, શિવલિંગની જાળવણી અને લાંબા ગાળાની સુરક્ષા માટે, મૂર્તિઓનું આયુષ્ય સુનિશ્ચિત કરવા માટે ભેળસેળયુકત અને રસાયણયુક્ત વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે. હાલ ટ્રસ્ટીઓ દ્વારા ભલામણોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તેનો અમલ કેવી રીતે કરવો તે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યાં સુધી હાલનો નિયમ ચાલુ રહેશે.

350 વર્ષ જૂનું શિવલિંગ
બાબુલનાથ મુંબઈનું સૌથી પ્રખ્યાત ‘શિવાલય’ (શિવ મંદિર) છે. 350 વર્ષ જૂના શિવલિંગમાં અપક્ષયના લક્ષણ જોવા મળ્યા. જેના કારણે મંદિરના અધિકારીઓએ દૂધ, રાખ, ગુલાલ અને વિવિધ પ્રસાદના ‘અભિષેક’ (અર્પણ) પર અંકુશ લગાવ્યો હતો. માત્ર જળાભિષેક ની મંજૂરી છે.

Kalyan Hospital Lost Purse Recovered હોસ્પિટલમાં ખોવાયેલી રોકડ અને દસ્તાવેજો ભરેલી પર્સ પોલીસે મહિલાને પરત કરી
Fake IT Raid Extortion Case આઈટી અધિકારી બનીને વેપારી પાસે ૧ કરોડની ખંડણી માંગનાર નકલી રેકેટનો પર્દાફાશ, અસલી અધિકારીઓ પણ સામેલ
Anti Narcotics Cell Cocaine Seize એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી મુંબઈમાંથી ૬૧ લાખની કિંમતના કોકેઈન સાથે એક શખ્સની ધરપકડ
Goregaon Friend Murder ગોરેગાંવમાં મિત્રના કપડા અને અંગત ચીજવસ્તુઓ વાપરવા બાબતે મિત્રએ જ કરી મિત્રની હત્યા, આરોપી ફરાર
Exit mobile version