નવરાત્રીમાં મહાલક્ષ્મી મંદિર જવા ઈચ્છુક માતાજીના ભક્તોને બેસ્ટની ભેંટ- આ સ્ટેશનો વચ્ચે દોડાવશે વધારાની બસ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

નવરાત્રીના(Navratri) નવ દિવસ દરમિયાન મહાલક્ષ્મી મંદિર(Mahalakshmi Temple) જવા ઈચ્છુક ભક્તો(Devotees) માટે બેસ્ટ ઉપક્રમે વધારાની બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.

બેસ્ટ ઉપક્રમના(Best Dept) જણાવ્યા મુજબ 26 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર, 2022 દરમિયાન મહાલક્ષ્મીમાં આવેલા માતાજીના મંદિર જવા માટે મોટા પ્રમાણમાં ભીડ ઉમટશે. તેથી બેસ્ટ ઉપક્રમ દરમિયાન આ દિવસો દરમિયાન વધારાની બસ દોડાવવામાં આવવાની છે.

આ સમાચાર પણ વાંચો : માસ્ક ફરજિયાત અને દંડ વસૂલી કયા કાયદા હેઠળ કરી- જવાબ આપો- હાઈકોર્ટે BMCને આપ્યો આટલા  સપ્તાહનો સમય

બેસ્ટ ઉપક્રમ તરફથી મહાલક્ષ્મી મંદિર જતી  28, 37, 83, 57, એ-77, 159,એ-124 અને એ-357 આ રૂટ પર દરરોજ વધારાની 26 એડિશનલ બસ (Additional bus) દોડાવવામાં આવશે. એ સિવાય ઉપનગરના પ્રવાસીઓ(suburban commuters) માટે ભાયખલા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશનથી(Mahalakshmi Railway Station) મહાલક્ષ્મી મંદિર જવા માટે ભીડના સમયે વધારાની બસ દોડાવવામાં આવશે.

એ સિવાય ભાયખલા(Byculla)(પૂર્વ)થી મહાલક્ષ્મી મંદિર અને ત્યાંથી ફરી ભાયખલા(પૂર્વ) સુધી પણ સ્પેશિયલ બસ દોડાવવામાં આવશે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More