Site icon

હવેથી હિંદુઓ ઉપર હુમલાઓ સહન કરવામાં આવશે નહીઃ ભાજપની મહારાષ્ટ્ર સરકારને ચીમકી, બાંદરામાં ભાજપનું આંદોલન; જુઓ તસવીરો અને જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 22 નવેમ્બર  2021 
સોમવાર.

ત્રિપુરામાં થયેલા હિંસાચારના વિરોધમાં મહારાષ્ટ્રના અમરાવતી, નાંદેડ, માલેગાવ સહિત રાજયના અનેક જિલ્લામાં તોફાન ફાટી નીકળ્યા હતા. એ દરિમયાન અનેક હિંદુઓ પર પોલીસ પર હુમલા થયા હતા. આ હિંસાખોરીના વિરુદ્ધમાં ભાજપે આજે મુંબઈમાં બાંદરા કલેકટરની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. 

Join Our WhatsApp Community

ભાજપના કાર્યકર્તા અને અગ્રણી નેતાઓએ આજે બાંદરામાં કલેકટરની ઓફિસર બહાર 12.30 વાગ્યાની આસપાસ ધરણા કર્યા હતા. ભાજપના નેતા અને કાંદીવલીના વિધાનસભ્ય અતુલ ભાતખલકર વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયાને કહ્યું હતું કે સત્તાની લાલચમાં મુખ્ય મંત્રી અને શિવસેનાએ હિંદુઓનો સાથ છોડયો તો ભાજપ હિંદુઓની સાથે હિંમતપૂર્વક ઊભો રહેશે. હિંદુઓ પર કાયરતાપૂર્વક કરવામાં આવનારા હુમલાઓ સહન કરવામાં આવશે નહીં.

ત્રિપુરામાં ધાર્મિક સ્થળની તોડફોડની અફવા બાદ થયેલી હિંસાખોરીના પડઘા મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યા હતા. રાજયમાં નાંદેડ, અમરાવતી, માલેગાવમાં હિંસક ધાર્મિક તોફાન થયા હતા. પોલીસો અને હિંદુઓ પર હુમલા થયા હતા. ત્યારે ઠાકરે સરકારે સ્વરક્ષણ માટે રસ્તા પર ઉતરેલા સામાન્ય હિંદુઓ સામે ખોટો ગુનો દાખલ કરીને તેમને ત્રાસ આપે છે.  મુખ્યમંત્રી અને શિવસેનાએ સત્તાની લાલચ પેઠે હિંદુઓનો સાથ છોડયો તો પણ ભાજપ હિંદુઓ સાથે જ રહેશે. હિંદુઓનો સાથ ભાજપ કોઈ દિવસ છોડશે નહીં.

ચોંકાવનારા સમાચાર : લોહીની અછત વચ્ચે લોહીને વેડફવામાં મહારાષ્ટ્ર રાજ્ય અવ્વલ. આટલા હજાર યુનિટ લોહી ગટરમાં ગયું.

કાયમ જ મહારાષ્ટ્રમાં આ પ્રકારના ધાર્મિક દંગલો ઘડવામાં આવતા હોય છે. 12 નવનેમ્બરના થયેલા દંગલોમાં પણ રઝા અકેદમીનો હાથ હતો. રઝા અકેદમી પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. હિંસક કાવતરુ રચનારાઓના સૂત્રધારને પકડીને તેમના સમર્થકોની ધરપકડ થવી જોઈએ. હિંદુઓ સામે દાખલ કરવામાં આવેલા ગુના પાછા ખેંચવા જોઈએ એવી માગણી સાથેનું આવેદન પત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું. આ સમયે મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા, ભાજપના નેતા આશિષ શેલાર, સાંસદ ગોપાલ શેટ્ટી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

Water Supply Disrupted: પાણી પુરવઠો ખોરવાયો: માહિમમાં પાઇપલાઇન લીકેજને કારણે ખાર અને બાંદ્રામાં અછત, હજારો લિટર પાણીનો વ્યય
Mumbai Bike Theft: પડદા પર કલાકાર અને રસ્તા પર બાઈક ચોર: ૧૭ ગુના આચરનાર રીલ્સ સ્ટારની પોલીસે કરી ધરપકડ, જાણો કેવી રીતે થયો પર્દાફાશ
Vile Parle Fire: વિલે પાર્લેમાં ‘સુવિધા પર્લ’ ના ૧૩મા માળે લાગી આગ: ધુમાડામાં ગૂંગળામણથી એક વૃદ્ધાનું મોત, અન્ય એક મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ
Mumbai Water Cut: મુંબઈમાં ૩૦ કલાકનો પાણી કાપ: ગોવંડી, ચેમ્બુર અને માનખુર્દમાં પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે, જાણો ક્યારથી શરૂ થશે કાપ
Exit mobile version