મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા હાંસિલ કરવા માટે ભાજપનું લોટસ ઓપરેશન- બનાવી આ યોજના- જાણો વિગત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની(Maharashtra) સત્તા કબજે કરવામાં સફળ થયા બાદ ભાજપની(BJP) મહત્વકાંક્ષા હવે મુંબઈ મહાનગરપાલિકાની(BMC) સત્તા કબ્જે કરવાની હોવાનું કહેવાય છે. મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા કબજે કરવા ભાજપ સક્રિય થઈ ગયું છે. તેથી ભાજપે પોતાનું લોટસ ઓપરેશન(Lotus operation) શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવકોને(Former Shiv Sena corporators) તોડવાની સાથે જ અન્ય વોર્ડમાં ખાસ ધ્યાન આપવા માટેની યોજના બનાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.  

સોમવારે ભાજપના ભૂતપૂર્વ નગરસેવકો અને કાર્યકરોને એવો 'સંદેશ' આપવામાં આવ્યો હતો કે આગામી ચૂંટણીમાં(Election) શિવસેનાના અંકુશ ધરાવતા વોર્ડમાં જીત મેળવવાનો હેતુ છે. કહેવાય છે કે આ માટે 'મિશન 134' (Mission 134) નક્કી કરવામાં આવ્યું છે.

માર્ચ 2022માં મુંબઈ મહાનગરપાલિકાની મુદત પૂરી થઈ હતી. આ પાર્શ્વભૂમિમાં આગામી નગરપાલિકાની ચૂંટણીની(municipal elections) તૈયારીઓ અને નગરસેવકોની કામગીરીની સમીક્ષા માટે ત્રણ મહિનાથી ભાજપના નગરસેવકો અને કાર્યકરોની બેઠકો ચાલી રહી છે. જો કે રાજ્યમાં ભાજપની સરકાર પરત આવ્યા બાદ તૈયારીઓ વધુ જોરથી ચાલુ કરી દેવામાં આવી છે. બેઠકો પર બેઠકો થઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં સવારથી મેઘરાજાએ બોલાવી ધડબડાટી-દક્ષિણ મુંબઈમાં નોંધાયો આટલો વરસાદ-જાણો આંકડા અહીં 

મુંબઈ મહાનગરપાલિકા માટે આ વર્ષે ભાજપે પોતાનું 134 નું ટાર્ગેટ રાખ્યું છે. ફેબ્રુઆરી 2017માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર 82 કાઉન્સિલરો ચૂંટ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં આ 82 વોર્ડની સાથે શિવસેના(Shivsena), કોંગ્રેસ (Congress) અને એનસીપીના(NCP) નગરસેવકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવી હતી. શિવસેના પ્રભુત્વ ધરાવતા વોર્ડ પર વિશેષ ધ્યાન આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ માટે નાગરિકોનો સંપર્ક કરવા સૂચના આપતા શિવસેનાના વોર્ડની જવાબદારી પૂર્વ કોર્પોરેટરોને સોંપવામાં આવી હોવાનું સમજાય છે.

દરેકે પોતાના વોર્ડ ઉપરાંત આજુબાજુના વોર્ડમાં પણ જનસંપર્ક વધારવાનું કહેવામાં આવ્યું છે. જે વોર્ડમાં અન્ય પક્ષોના કોર્પોરેટરો છે ત્યાંની સમસ્યાઓ જાણીને જે તે વિભાગોના આસિસ્ટન્ટ કમિશનર(Assistant Commissioner) મારફતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. દરેક વોર્ડમાં ભાજપના હોદ્દેદારો સાથે સંવાદ જળવાઈ રહે. રાજ્યમાં થયેલી ઘટનાક્રમ બાદ મુંબઈમાં ભાજપ માટે સારું વાતાવરણ છે. સૌએ તેનો લાભ લેવો જોઈએ, તેવા સૂચનો પણ આ સમયે કરવામાં આવ્યા છે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More