Site icon News Continuous Bureau | Mumbai

RSSને તાલિબાન સાથે સરખાવીને ફસાઈ ગયા આ લેખક અને ફિલ્મકાર : માફીની માગણી સાથે ભાજપ આક્રમક, ઘરની બહાર ભાજપનાં વિરોધ પ્રદર્શન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6, સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવાં સંગઠનોની વિચારધારા તાલિબાન જેવી છે. આવા વિવાદાસ્પદ વિધાન કરનારા ગીતકાર અને લેખક જાવેદ અખ્તર બરોબરના ફસાયા છે. વિવાદાસ્પદ નિવેદન માટે તેઓ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી તેમની કોઈ ફિલ્મ ચાલવા નહીં દેવાની ભાજપે ધમકી આપી  છે. ભાજપના કાર્યકર્તા જાવેદ અખ્તરના  ઘરની બહાર સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં કાર્યકર્તાઓ પોલીસની સામે થઈ ગયા હતા.

 જાવેદ અખ્તર પોતાનાં વિધાન પાછાં ખેંચીને માફી નહીં માગે ત્યાં સુધી તેમની અને તેમના પરિવારની કોઈ ફિલ્મ દેખાડવા દેવાશે નહીં એવી ચોખ્ખા શબ્દોમાં ભાજપના નેતા રામ કદમે ચેતવણી પણ આપી છે. ઘાટકોપરમાં જાવેદ અખ્તરનું પૂતળુ બાળવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદી આ મહિને લઈ શકે છે અમેરિકાની મુલાકાત, પ્રથમવાર મળશે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડનને; આ મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા; જાણો વિગતે 

હાલમાં જ જાવેદ અખ્તરે એક ન્યુઝ પૉર્ટલને એક ઇન્ટવ્યૂ આપ્યો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે તાલિબાન જંગલી છે, તેમની હરકતો  નિંદનીય છે પણ RSS, વિહિપ અને બજરંગ દળને સમર્થન કરનારાઓ તમામ લોકો એક સમાન છે. તેમના આ ઇન્ટરવ્યૂ બાદ ભાજપ જોકે ગિન્નાયો હતો. જાવેદે પોતાનું નિવેદન પાછું ખેંચીને માફી નહીં માગી તો તેમના વિરુદ્ધનું ભાજપનું આંદોલન વધુ તીવ્ર બનાવાશે એવી ચીમકી પણ ભાજપ નેતા રામ કદમે આપી હતી.

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version