Site icon

મુંબઈમાં હવે ભાજપ શાકભાજી વેચશે.. વચેટિયાઓ દૂર થતાં તરકારી સસ્તી થશે.. જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

21 ઓક્ટોબર 2020

મુંબઈમાં લોકોને સસ્તા શાકભાજી મળી રહે અને વચેટિયા ઓ દૂર થાય એ માટે રાજકીય પક્ષ ના નેતાઓ સામે આવ્યા છે. મુંબઈમાં હવે ભાજપ લઘુમતી મોરચા ખેડૂતો પાસેથી સીધા શાકભાજી ખરીદી રહ્યા છે અને સબસિડી દરે ગ્રાહકોને વેચે છે. ભાજપના શહેર પ્રમુખએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભાર ભારત' અભિયાનથી પ્રેરિત 'આત્મનિર્ભર કિસાન બજાર' સેવાની શરૂઆત કરી છે.

 “અમે વેપારીઓ પાસેથી જે ભાવે મળે તેના કરતા વધારે ચૂકવણી કરીને અને સબસિડીવાળા દરે વેચવા મટે ને સીધા ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદી રહ્યા છીએ. લઘુમતી મોરચાના પ્રમુખએ પણ કહ્યું કે, હાલ બજારમાંથઈ શાકભાજી લાવવા અમારી પાસે ત્રણ વાહનો છે, પરંતુ ટૂંક સમયમાં તેમાં વધુ ઉમેરો થશે. તેમજ આ વાહનો દિવસમાં બે વાર બજાર વિસ્તારોની મુલાકાત લેશે.

ભાજપના નેતાના જણાવ્યાં મુજબ આ યોજના ખેડુતો અને ગ્રાહકો માટે ફાયદાકારક છે. કોઈ વચેટિયા ન હોવાથી ખેડુતોને સારો ભાવ મળે છે. જ્યારે ગ્રાહકોને તાજી શાકભાજી સસ્તી મળે છે. માંગમાં વધારો થતાં, વધુ વાહનો પણ ઉમેરવામાં આવશે એમ પણ તેમણે કહ્યું છે..

Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Mumbai Airport Drugs Seizure: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: ₹૬૪ કરોડનું ‘હાઈડ્રોપોનિક વીડ’ જપ્ત, વિદેશી નાગરિક સહિત ૪ની ધરપકડ
Exit mobile version