Site icon

મુંબઈ મનપામાં ચોક્કસ કોન્ટ્રાન્ક્ટરોના ફાયદા માટે જ ટેન્ડર કાઢવામાં આવતા હોવાનો ભાજપના આ નેતાએ કર્યો આરોપઃ મુંબઈ મહાપાલિકાના કમિશનરને લખ્યો પત્ર જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.

મુંબઈ મહાનગરપાલિકામાં અમુક કોન્ટ્રેક્ટરોના હિત માટે જ ટેન્ડર બહાર પાડવામાં આવતા હોય છે એવો આરોપ ભાજપના ઉપાધ્યક્ષ પ્રસાદ લાડે કર્યો છે. તેમણે મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને પત્ર લખીને મહાપાલિકાની ટેન્ડર પ્રક્રિયામાં નિયમો અને કેન્દ્રીય વિજિલન્સ કમિશનના નિયમોનું  ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની પણ ફરિયાદ કરી છે.

Join Our WhatsApp Community

15 નવેમ્બર, 2021ના રોજ કમિશનરને પત્ર લખીને એવો આરોપ કર્યો છે કે ટેન્ડર પૂર્વે બેઠક લેવામા આવતી નથી. કોઈ પણ ટેન્ડર સૂચના મહાપાલિકાની વેબસાઈટ પર પ્રસિદ્ધ કર્યા પછી ટેન્ડરકર્તાઓ સાથે એક બેઠક લેવી જરૂરી છે. આ બેઠક અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. આ બેઠકમાં ટેન્ડરકર્તાઓના પ્રશ્ન અને તેમની મુશ્કેલીઓની ચર્ચા થાય છે અને તેમાંથી પારદર્શકતા તારવી શકાય. તેમાંથી મહાપાલિકાનું હિત પણ સધાતું હોય છે. જોકે છેલ્લા થોડા સમયથી આ પદ્ધતિને દૂર કરવામાં આવી છે. તેમાંથી મહાપાલિકામાં ગેરરીતિ સામે આવી હોઈ પોતાની મરજીના ઠેકેદારોને ટેન્ડર આપવાનું કાવતરું પાર પાડવામાં આવી રહ્યું છે, એવો આરોપ પણ લાડે કર્યો છે. લાડે મહાપાલિકાના ક્લેવલેન્ડ બંદર આઉટફોલ, વરલી કોલીવાડા ખાતે ગોઠવવામાં આવેલા મેકેનિકલ સ્ક્રીન માટેનાં ટેન્ડરનો દાખલો આપ્યો છે. આ ટેન્ડર ઈજારાશાહીને વાચા આપનારી હોવાનું તેમણે કહ્યું હતું. ટેન્ડરમાં જે વિશિષ્ટતાઓની નોંધ કરવામાં આવી છે તે ઉત્પાદન ઈવા સ્ક્રીન્સ કંપની પાસેથી ઉત્પાદન કરાયાં છે. જે ઠેકેદારના આ કંપની સાથે કરાર હોય તેને જ કોન્ટ્રાક્ટ મળવાનો છે. આશ્ચર્યની વાત એ છે કે ટેન્ડરમાંની ઉત્પાદન વિશિષ્ટતા આ કંપનીની વેબસાઈટ પરથી જેમ છે તેમ કોપી પેસ્ટ કરવામાં આવી છે. આ ગુણ વિશિષ્ટતાઓમાં ટેન્ડરમાં જરૂરી બાબતોની નોંધ કરવા સમયે ચેડાં કરવામાં આવ્યાં છે.  આ ટેન્ડર ચોક્કસ એક ઠેકેદારને નજર સામે રાખીને કાઢવામાં આવ્યું હોઈ તેને જ તે અપાશે. આ બાબત અત્યંત ગંભીર હોઈ તેની ઊંડાણથી તપાસ થવી જોઈએ એવી માગણી પણ પ્રસાદ લાડે કરી છે.
 

મુંબઈગરાઓ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં તમામ લોકલ ટ્રેનોને હાર્બર લાઇન પર અંધેરીથી ગોરેગાંવ સુધી લંબાવવામાં આવશે;  જાણો મધ્ય રેલવેની યોજના

 

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version