News Continuous Bureau | Mumbai
અંધેરી (પશ્ચિમ) વિસ્તારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા હલ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ડૉ. આર. એન. કૂપર હોસ્પિટલના પ્રવેશદ્વાર તરફ જતા રામ ગણેશ ગડકરી માર્ગ પરથી અંદાજે ૨૦૦ ગેરકાયદે ફેરિયાઓ અને ફૂટપાથ પરના દબાણો હટાવી રસ્તાને અડચણમુક્ત કરવામાં આવ્યો છે.
રામ ગણેશ ગડકરી માર્ગ (ઈર્લા માર્ગ) સ્વામી વિવેકાનંદ માર્ગ અને ગુલમોહર માર્ગને જોડતો અત્યંત વ્યસ્ત રસ્તો છે. અહીં ગેરકાયદે ફેરિયાઓના દબાણને કારણે હોસ્પિટલમાં આવતી એમ્બ્યુલન્સો અવારનવાર ટ્રાફિકમાં ફસાઈ જતી હતી. કટોકટીના સમયે દર્દીઓને સમયસર સારવાર મળે અને રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી પાલિકાએ આ આકરું પગલું ભર્યું છે.
આ સમાચાર પણ વાંચો : T20 World Cup 2026:ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય નથી થયું એ હવે થશે! 2026 વર્લ્ડ કપમાં ભારત પાસે છે ‘ટ્રિપલ’ ધમાકાની તક, જાણો કેવી રીતે બનશે વર્લ્ડ રેકોર્ડ
સહાયક આયુક્ત (કે-પશ્ચિમ વોર્ડ) શ્રી ચક્રપાણી અલ્લેના નેતૃત્વમાં ૧૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. અતિક્રમણ દૂર કરવા માટે ૦૪ એન્ટી-એન્ક્રોચમેન્ટ વાહનો અને ૦૩ જેસીબી (JCB) મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.
Join Our WhatsApp Community