હવે શિક્ષકોને પણ વર્ક ફ્રોમ હોમ. મુંબઈ મહાનગરપાલિકા નો નિર્ણય.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

18 માર્ચ 2021

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે.આ સંખ્યાને ધ્યાનમાં રાખીને જ મુંબઈ મહાનગરપાલિકાએ શિક્ષક અને શિક્ષકેત્તર કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ નો આદેશ આપ્યો છે. શિક્ષક અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના પ્રકોપથી બચવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ વર્ક ફ્રોમ હોમ નો નિર્ણય લીધો હતો આ 

નિર્ણયના અંતર્ગત શિક્ષકો દરેક આંતરે દિવસે શાળામાં આવી શકશે જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભીડને રોકી શકાય.

        મહાનગરપાલિકાએ તેમના તમામ ક્ષેત્રના શિક્ષકો ને  ઈ-લર્નિંગ અને ઓનલાઈન પધ્ધતિની જાણકારી મેળવવાનું સૂચન કર્યું છે. તેમજ શિક્ષક અને શિક્ષકેત્તર કર્મચારીઓએ દૈનિક કામકાજની નોંધ google sheet કે worksheet માં કરવાની રહેશે.

પાલિકાના આ નિર્ણયથી એ વાત તો નક્કી છે કે રસ્તા પરની ભીડ ઓછી થશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More