મુંબઈમાં કોરોનાની 3જી લહેર પૂર્ણવિરામ ને આરે, દર્દીઓ ઘટતા શહેરના આ 4 જમ્બો કોવિડ સેન્ટર બંધ થયા; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 03, માર્ચ 2022,

ગુરુવાર

મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ ઓસરી ગઈ છે.

આ પૃષ્ઠભૂમિમાં, BMCએ NESCO, મુલુંડ, કાંજુરમાર્ગ અને દહિસર જમ્બો કોવિડ સેન્ટરને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

મંગળવારથી આ બધા જ જમ્બો કોવિડ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે.

છેલ્લાં 22 મહિના દરમિયાન શહેરના 52 હજારથી વધુ દર્દીઓ ચાર સેન્ટરોમાં સારવાર લઈ સાજા થયા છે.

આ ચારેય સેન્ટરોમાં ઓક્સિજન, આઈસીયુ, વેન્ટિલેટર્સ સાથે 6500 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

જોકે આ સેન્ટરોના વેન્ટિલેટર્સ, ઓક્સિજન-આઈસીયુના મશીનો વગેરે અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરતા લગભગ દોઢ મહિનો લાગશે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!!! નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે બહારગામની ટ્રેનોને થશે અસર. જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More