Site icon

મુંબઈમાં ડેલ્ટા વેરિયન્ટ કરતા ડેલ્ટા ડેરિવેટીવના કેસ વધુ નોંધાયાઃ ઓમાઈક્રોનના ફક્ત આટલા ટકા કેસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

ગુરુવાર. 

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. પરંતુ ઓમીક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મુંબઈમાં  કેટલા પ્રમાણમાં અને કયા વેરિયન્ટના દર્દી મળી રહ્યા છે, તે જાણીને તે મુજબ ઉપાયયોજના કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા તબક્કાવાર જીનોમ સિક્વેન્સિંગના ટેસ્ટ કરી રહી છે. 

તાજેતરમાં મુંબઈમાં નેક્સ્ટ જનરેશન જિનોમ સિક્વેન્સિંગના છઠ્ઠા તબક્કાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 297 નમૂનામાંથી 35 ટકા એટલે કે 105 કેસ  ડેલ્ટા વેરિયન્ટના તો 62 ટકા એટલે કે 183 નમૂના ડેલ્ટા ડેરિવેટીવના કેસ રહ્યા હતા.  તો ફક્ત સાત કેસ એટલે કે બે ટકા દર્દી ઓમીક્રોનના હતા. જયારે બાકીના એક ટકા કેસ અન્ય વેરિયન્ટના હતા.

ઉંમર પ્રમાણે જોઈએ તો 297 દર્દીમાંથી 35 ટકા એટલે કે 103 દર્દી 21થી 40 એજ ગ્રુપના હતા. તો 27 ટકા એટલે કે 80 દર્દી એ 41થી 60 આ એજ ગ્રુપના હતા. તો 23 ટકા એટલે કે 68 દર્દી એ 61થી 80 વર્ષની વયના હતા.

વસઈમાં પરફ્યૂમની કંપનીમાં લાગી ભીષણ આગ, જાણો વિગત

Mumbai Jeweller Fraud: મુંબઈમાં હાઈ-પ્રોફાઈલ છેતરપિંડી: કર્ણાટકના મંત્રીને દાગીના બતાવવાના બહાને જ્વેલર પાસેથી ₹૧૧ લાખના ઘરેણાં પડાવી આરોપી ફરાર
Mumbai Cyber Cell : મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડનો પર્દાફાશ: મની લોન્ડરિંગના નામે વૃદ્ધ પાસેથી ₹૧૦ લાખ પડાવનાર બે ઠગ ઝડપાયા, ૧૪ રાજ્યોમાં ફેલાયેલું હતું નેટવર્ક
India’s first musical road : મુંબઈ કોસ્ટલ રોડ પર ગુંજશે ‘જય હો’: ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ‘મ્યુઝિકલ રોડ’ તૈયાર, જાણો કેવી રીતે વાગશે સંગીત
Ajit Pawar Plane Crash Case: રોહિત પવારના ગંભીર આક્ષેપો, અજિત પવારના હેલિકોપ્ટર અકસ્માત પાછળ કાવતરાની આશંકા વ્યક્ત કરી
Exit mobile version