Site icon News Continuous Bureau | Mumbai

શાબ્બાશ! પખવાડિયામાં જ મુંબઈ મનપાએ આટલા ભટકતા શ્વાનોને આપી હડકવાની રસી; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરવાર 
 મુંબઈમાં રખડતા શ્વાનની સંખ્યા વધી ગઈ છે. એની સામે રસ્તે ચાલનારા રાહદારીઓને બચકાં ભરવાના બનાવ પણ મુંબઈમાં વધી ગયા હોવાની સતત ફરિયાદો આવતી રહે છે, ત્યારે 28 સપ્ટેમ્બરના દુનિયાભરમાં ઊજવવામાં આવતા ‘રેબીઝ ડે’ નિમિત્તે પાલિકાએ એક પખવાડિયા માટે મુંબઈના રસ્તા પર રખડતા શ્વાન માટે રેબીઝ પ્રતિબંધાત્મક વેક્સિનેશન ઝુંબેશ ચલાવી હતી. 28 સપ્ટેમ્બરથી 13 ઑક્ટોબર 2021 સુધીના સમયગાળા દરમિયાન સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધીમાં 3,493 રખડતા શ્વાનોને રેબીઝની વેક્સિન આપવામાં આવી હતી. એ માટે પાલિકાની બે ટીમ સતત કામ કરી રહી હતી. આ ઝુંબેશમાં અનેક NGOની પણ મદદ લેવામાં આવી હતી.

Join Our WhatsApp Channel
MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version