Site icon

મુંબઈ પાલિકા વર્ષ 1990થી ઉભા થયેલા ગેરકાયદે બાંધકામની શોધ માટે આટલા કરોડ ખર્ચશે; આ શોધ પાછળ પાલિકાનો ઈરાદો શું હોઈ શકે? જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈ મહાનગર પાલિકા હવે શહેરમાં ગેરકાયદે બાંધકામની શોધ કરશે. મુંબઈમાં વર્ષ 1990થી ઉભા થયેલા અને નવા ઉભા કરાયેલા ગેરકાયદે બાંધકામોની તપાસ સેટેલાઇટ અને સ્પેશિયલ સોફ્ટવેર, GSS જેવી અદ્યતન સિસ્ટમ દ્વારા કરશે. આ માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવશે અને તેને રૂ.11.20 કરોડ ચૂકવવામાં આવશે. તેવી માહિતી મળી છે.

 

આટલા વર્ષો પછી પાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામો શોધવા પાછળ કોઈ નક્કર હેતુ હોવો જોઈએ. એવી શંકા છે કે નગરપાલિકા આવા અનધિકૃત બાંધકામોને શોધીને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા, શક્ય હોય તો તેને નિયમિત કરવા અથવા વિકાસમાં અવરોધ ઊભો કરે તો તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. તે ઉપરાંત વર્ષ 2022થી પાલિકાને GST દ્વારા મળનારી આવક બંધ થવાની સંભાવના છે. જે પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી એ પાલિકાનો વૈકલ્પિક આવકનો સ્ત્રોત હોઈ શકે છે. આ શિક્ષાત્મક કાર્યવાહીના કારણે પાલિકાનો કાયદાના ચોકઠાનો ઉપયોગ કરીને પોતાની તિજોરીમાં કરોડો રૂપિયા એકઠા કરવાનો ઈરાદો હોવો જોઈએ.

મને મૃત્યુ બાદ દફન નહિ કરતા, હિંદુ ધર્મ પ્રમાણે અંતિમ સંસ્કાર કરજો:- જાણો વસીમ રિઝવીને કેમ આવું કહેવું પડ્યું

આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિની આગામી બેઠકમાં મંજૂરી માટે આવશે. જો આમાં કોઈ સત્યતા જોવા મળે તો ભાજપ અને વિપક્ષ દ્વારા સત્તાધારી શિવસેના પર દબાણ લાવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

વાસ્તવમાં, પાલિકાએ ગેરકાયદે બાંધકામો શોધવા માટે એક અરજી અને હાઇકોર્ટની એક અરજી અને તેના આદેશનો આધાર લીધો છે.

પાલિકા વહીવટીતંત્ર વર્ષ 1990થી મુંબઈમાં શહેર અને ઉપનગરોમાં વિવિધ ફેરફારોની તપાસ કરશે. જ્યાં અનધિકૃત અને ગેરકાયદેસર બાંધકામો થયા છે. ત્યાં સોફ્ટવેર, GSS સિસ્ટમનો ઉપયોગ કરીને સેટેલાઇટ ફોટાઓ એકત્રિત કરશે.

આ વિશિષ્ટ પદ્ધતિ થોડા વર્ષો પહેલા ગેરકાયદે બાંધકામની સ્થિતિ શું હતી અને આજે તે શું છે? તેનો અભ્યાસ કરવામાં આવશે. આગામી 4 વર્ષ અને 2 મહિના માટે તેનો કોન્ટ્રાક્ટ અપાયો છે. પાલિકા કોન્ટ્રાક્ટરને રૂ.11 કરોડ 20 લાખ ચૂકવશે.

Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
Savarkar Literature Study Circle: વરિષ્ઠ પત્રકાર સ્વપ્નિલ સાવરકરની સાવરકર સાહિત્ય અભ્યાસ મંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક
Mumbai: મુંબઈ માટે ‘હાઈ ટાઈડ’ એલર્ટ! આગામી ૪ દિવસ દરિયાકિનારે જવાનું ટાળો, BMC એ જરૂરી સૂચનાઓ આપી
Dharavi extortion case: ધારાવીમાં BMC અધિકારી બનીને નાના વેપારીઓ પાસેથી ખંડણી વસૂલતી ગેંગ: 1 ઝડપાયો, 3 ફરાર
Exit mobile version