Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં તમામ પ્રતિબંધો ક્યારે ખૂલશે? આ આંકડો મહત્વપૂર્ણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

રાજ્ય સરકારે ભલે ગમે એવી ગાઇડલાઇન બનાવી હોય, મુંબઈ મહાનગરપાલિકા પોતાની સગવડ પ્રમાણે નિર્ણય લેશે. હાલ મુંબઈ શહેરમાં દૈનિક 800 જેટલા કેસ રજિસ્ટર થઈ રહ્યા છે. આ આંકડાને નાનોસૂનો સમજવો એ ગંભીર ભૂલ રહેશે. ભૂતકાળમાં એવો અનુભવ રહ્યો છે કે 800 કેસને 8,000 કેસ થતાં માત્ર ૧૫ કે 20 દિવસ જેટલો સમય લાગે છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકા એવું વિચારી રહી છે કે મુંબઈ શહેરમાં જો 500થી ઓછા કેસ નોંધાય તો ઝડપથી પ્રતિબંધો પાછા ખેંચી શકે એમ છે. અનેક વૉર્ડ એવા છે જેમાં ઝૂંપડપટ્ટીમાંથી કોરોના જતો રહ્યો છે, પરંતુ ઇમારતોમાં ઘૂસી ગયેલો કોરોના ઝડપથી બહાર નથી આવી રહ્યો.

મુંબઈ શહેર માટે આજે ફેંસલા નો દિવસ. બધાની નજર પાલિકાના નિર્ણય પર. શું મુંબઈમાં પ્રતિબંધ ચાલુ રહેશે?

આ પરિસ્થિતિમાં સરકારી ગાઇડલાઇન ભલે ગમે એ કહે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકા દૈનિક 500થી ઓછા કોરોનાના કેસ નોંધાય એ આંકડા પર નજર રાખીને બેઠું છે.

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version