મુંબઈમાં તહેવારનો ઉત્સાહ વધતા પાલિકા રસીકરણનું લક્ષ્ય ચૂકી, ગઈકાલે આટલા હજાર લોકોને અપાઈ રસી; જાણો હાલ કેવી છે શહેરની કોરોના પરિસ્થિતિ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 2 નવેમ્બર, 2021

મંગળવાર

મુંબઈ પાલિકા રસીકરણની સમય મર્યાદા ચૂકી ગઈ છે. પાલિકાએ 31 ઓક્ટોબર સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના 93 લાખ લોકોને કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન હજી પણ તેના ટાર્ગેટથી થોડું દૂર છે. મુંબઈમાં 98 ટકા લોકોને પ્રથમ ડોઝ મળી ગયો છે, માત્ર 2 ટકા લોકો જ બાકી છે. દરમિયાન, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 267 નવા દર્દીઓ મળી આવ્યા છે અને ચાર દર્દીના મોત થયા છે.

માથેરાનના અર્થતંત્રનો આધાર 'મિનીટ્રેન' માટે આ બે દિવસ ઉત્સવ ઉજવાશે; તેની પાછળ આ છે વિશેષ કારણ.. જાણો વિગતે

 સોમવારે મુંબઈમાં 50330 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે રસીકરણની કુલ સંખ્યા 1, 47,30,146 સુધી પહોંચી છે. જેમાંથી 91,31, 341 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે અને 55,98, 805 લોકોએ બંને ડોઝ લીધા છે. હજી મુંબઈમાં 33 ઇમારતો સીલ છે.

પાલિકાના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે તહેવારોને કારણે રસીકરણ ઝુંબેશ ધીમી પડી છે, કોરોનાનો પ્રકોપ ઓછો થયા બાદ લોકો રજાઓ ગાળવા માટે બહાર જઈ રહ્યા છે અને બધું ખુલ્લું છે, આવી સ્થિતિમાં રસીકરણને પ્રાધાન્ય આપવામાં આવતું નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More