Site icon News Continuous Bureau | Mumbai

BMC : મુંબઈમાં રખડતા કૂતરાઓથી રેબીઝ થવાનો ખતરો હવે થશે દૂર.. બનશે શહેર રેબીઝમુક્ત.. જાણો શું છે કારણ..

BMC : રાજ્યમાં રખડતા કુતરાઓ દ્વારા હડકવાના રોગ થતા અટકાવવા, કુતરાના કરડવાથી ઉભી થતી સમસ્યાને અટાકવવા પાલિકા હવે તમામ કુતરામાં રેબીઝ રસીકરણ કરી રહી છે.

BMC The threat of rabies from stray dogs in Mumbai will now be removed.. The city will become rabies free

BMC The threat of rabies from stray dogs in Mumbai will now be removed.. The city will become rabies free

News Continuous Bureau | Mumbai

BMC : રખડતા કૂતરાના કરડવાથી માનવ સંક્રમણનું જોખમ ઘટાડવા અને શ્વાનને ( Dogs ) જરૂરી આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડવા માટે ‘મુંબઈ રેબીઝ નાબૂદી પ્રોજેક્ટ’ ( Mumbai Rabies Eradication Project ) હેઠળ રખડતા કૂતરાઓના રેબીઝ રસીકરણ ( Rabies vaccination )  માટે સતત ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના વેટરનરી વિભાગ આ હેઠળ, વિવિધ સંસ્થાઓની મદદથી, માર્ચ 2024 સુધીમાં મુંબઈમાં ઓછામાં ઓછા 70 ટકા કૂતરાઓને રેબીઝ રસીકરણ પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 25 હજાર કૂતરાઓનું રસીકરણ ( Dogs vaccination ) પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા (BMC) કમિશનર અને એડમિનિસ્ટ્રેટર અને એડિશનલ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ અંગે વિસ્તૃત માહિતી આપતાં વેટરનરી વિભાગ અને દેવનાર પશુ કતલખાનાના જનરલ મેનેજરે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, રખડતા કૂતરાઓમાં રસીકરણ દ્વારા વિવિધ હેતુઓ હાંસલ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને, હડકવાના ચેપને અટકાવીને માનવ મૃત્યુને અટકાવવું, હડકવાના વાયરસના પ્રસારણના ચક્રને તોડવું અને તે રીતે રખડતા કૂતરાઓના કરડવાથી માનવમાં હડકવાના સંક્રમણનું જોખમ ઘટાડવું, પ્રાણીઓનું રક્ષણ કરવું અને નાગરિકોની સલામતીની ખાતરી કરવી વગેરે આમાં શામેલ છે.

 2014ની કુતરાઓની ગણતરી મુજબ મુંબઈમાં રખડતા કૂતરાઓની સંખ્યા 95 હજારની આસપાસ હતી…

ઉલ્લેખનીય છે કે, આ જ તર્જ પર, સપ્ટેમ્બર 2023 થી, મહાનગરપાલિકા (BMC) ના વેટરનરી વિભાગ દ્વારા ‘મુંબઈ રેબીઝ નાબૂદી પ્રોજેક્ટ’ હેઠળ રખડતા કૂતરાઓને ( stray dog ) રેબીઝ રસીકરણ માટે સતત અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. 2014ની વસ્તી ગણતરી મુજબ મુંબઈમાં રખડતા કૂતરાઓની સંખ્યા 95 હજારની આસપાસ હતી. તેમાંથી સપ્ટેમ્બર 2023 થી અત્યાર સુધીમાં લગભગ 25 હજાર રખડતા કૂતરાઓને રસી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, માર્ચ 2024 ના અંત સુધીમાં, લગભગ 70 ટકા કૂતરાઓને રસી આપવામાં આવશે એવો પાલિકાનો લક્ષ્ય છે.

આ સમાચાર પણ વાંચો :  Maratha Reservation : આજની તારીખે મહારાષ્ટ્રમાં અનામત કેટલું? મરાઠા આરક્ષણ થયા બાદ ટકાવારી કેટલી?

રેબીઝ રસીકરણ માટે મહાનગરપાલિકા (BMC) દ્વારા જેનિસ સ્મિથ એનિમલ વેલફેર ટ્રસ્ટ, યુથ ઓર્ગેનાઈઝેશન ઇન ડિફેન્સ ઓફ એનિમલ્સ, યુનિવર્સલ એનિમલ વેલફેર સોસાયટી અને ઉત્કર્ષ ગ્લોબલ ફાઉન્ડેશનની નિમણૂક કરવામાં આવી છે. આ સંસ્થાઓમાં પ્રશિક્ષિત પશુ ચિકિત્સા નિષ્ણાતોની મદદથી આ રસીકરણ અભિયાન કરવામાં આવી રહ્યું છે. તો મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલ આ અવિરત ઝુંબેશમાં શહેરીજનોનો સહકાર ખૂબ જ મહત્વનો બની રહેશે. તેથી મહાનગરપાલિકા પ્રશાસને નાગરિકોને તેમના વિસ્તારમાં રખડતા કૂતરા વિશે માહિતી આપવા અને રસીકરણ સ્ટાફને સહકાર આપવા અપીલ કરી છે.

Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version