Site icon

મુંબઈની ચોપાટી પર બનશે નવા શૌચાલયો, BMC ખર્ચશે અધધ આટલા કરોડ…. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મુંબઈની ચોપાટી(Mumbai chowpatty)નું પર્યટકો(tourist)માં ભારે ક્રેઝ છે. મોટી સંખ્યામાં પર્યટકો ચોપાટી પર ફરવા આવે છે. પરંતુ પર્યટકોની સંખ્યાની પૂરતા શૌચાલયની સગવડ નથી. તેથી મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ મુંબઈની જુદી જુદી ચોપાટી, બીચ પર નવ 27 શૌચાલય(public toilet) ઊભા કરવાનો નિર્ણય લીધો છે. તે માટે લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

Join Our WhatsApp Community

મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિને(geographical situation) કારણે તેને મોટી સંખ્યામાં દરિયા કિનારાનો લાભ મળ્યો છે. મુંબઈના દરિયા કિનારા(Beach) પર મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા હોય છે. રજાના દિવસે પર્યટકોની સંખ્યા વધી જતી હોય છે. તેની સામે પર્યટકોને જોઈએ તે મુજબની સુવિધા ઉપલબ્ધ નથી થતી. તેથી પાલિકાએ ખાસ કેન્દ્ર સરકારના(Central govt) સ્વચ્છ ભારત અભિયાન(Swachh Bharat Abhiyan) હેઠળ ચોપાટી અને બીચ પર શૌચાલયની સંખ્યા વધારવાની છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!! નાળા સફાઈ પર હવે સામાન્ય મુંબઈગરા પણ આ રીતે નજર રાખી શકશે. જાણો વિગતે.

મુખ્યત્વે  ગિરગામ, દાદર, માહિમ, જુહુ, વર્સોવા, મઢ, માર્વે, મનોરી અને ગોરાઈ દરિયા કિનારા પર શૌચાલય ઊભા કરવામાં આવવાના છે. મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલય બાંધવામાં આવશે. તે માટે પાલિકા 3 કરોડ 33 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે. 
 

Rupali Ganguly: ઓક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટ્રાફિકમાં ફસાઈ સોશ્યલ મિડીયા પર બળાપો કાઢ્યો કહ્યું ‘મુંબઈકરોની ધીરજની પરીક્ષા ન લો’
Goregaon Fire: ગોરેગાંવની રહેણાંક ઈમારતમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
Vakola Police: વાકોલામાં મહિલા સાથે જાતીય શોષણ અને અશ્લીલ તસવીરોથી બ્લેકમેલ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ
Jogeshwari Tanker Accident:જોગેશ્વરીમાં બેફામ ગતિએ આવતા ટેન્કરની ટક્કરે ૬૩ વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત
Exit mobile version