કાંદિવલીની સોસાયટીના બોગસ રસી મેળવનાર સભ્યોનું મહાનગર પાલિકા કરશે રસીકરણ; આવતી કાલથી શરૂ થશે રસીકરણ અભિયાન, જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧

શુક્રવાર

કાંદિવલી પશ્ચિમમાં હિરાનંદાની હેરિટેજ હાઉસિંગ સોસાયટીમાં બનાવટી રસીકરણમાં છેતારાયેલા નાગરિકોને બીએમસી દ્વારા આવતી કાલે રસી મુકવામાં આવશે. આ માટે શનિવાર કાંદિવલી પશ્ચિમમાં મહાવીર નગર વિસ્તારમાં એમેનિટી માર્કેટ મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્ર ખાતે સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન, પાલિકાને મુંબઈમાં અત્યાર સુધીમાં થયેલા 9 બનાવટી રસીકરણમાં કેસમાં છેતરાયેલા લોકોની યાદી પોલીસ પાસેથી મળી છે.

પોલીસને તપાસ દરમિયાન મળેલી માહિતીને આધારે શંકાસ્પદ નાગરિકોની સૂચિ પોલીસ દ્વારા મ્યુનિસિપલ વહીવટને સોંપવામાં આવી છે. આ નાગરિકોની માહિતી કોવિન વેબસાઇટ પર મોબાઈલ નંબરના આધારે મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા ચકાસવામાં આવી રહી છે. નકલી અને અનધિકૃત રીતે ખાનગી સ્તરે રસી અપાયેલા આ તમામ નાગરિકોને યોગ્ય રસી પૂરી પાડવાની જરૂર છે તેથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી જરૂરી મંજૂરી પણ માંગવામાં આવી છે.

BSE પર લૉન્ચ થયાSUFI સ્ટીલ બિલેટ્સના ફ્યુચર્સ-કૉન્ટ્રૅક્ટ; જાણો કઈ રીતે સ્ટીલ ક્ષેત્રને થશે ફાયદો

ઉલ્લેખનીય છે કાંદિવલીની હિરાનંદાની સોસાયટી દ્વારા 30 મે, 2021ના ​​રોજ ખાનગી રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પાછળથી બહાર આવ્યું હતું કે આ રસી નકલી અને અનધિકૃત રીતે કરવામાં આવી હતી. આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More