હવે આ વ્યવસાય કરનાર લોકોએ દર પંદર દિવસે કોરોના ટેસ્ટ કરવો પડશે.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 માર્ચ 2021 

કોરોના ફેલાવનાર કેરિયર સૌથી ખતરનાક સાબિત થયા છે. શાકભાજી વેચનાર, દૂધ વિક્રેતા, ડીલેવરી બોય, ફેરીયા, કુરિયર કંપની નો સ્ટાફ આ તમામ લોકો એ શ્રેણીમાં આવે છે.એક વ્યક્તિ દિવસ દરમિયાન અનેક વ્યક્તિઓને મળતી હોવાને કારણે જો તે કોરોના સંક્રમિત હોય તો તે અનેક લોકોને કોરોના નો ચેપ લગાડી શકે છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે આ કેટેગરી હેઠળ આવનાર તમામ લોકોના દર પંદર દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

આ ઉપરાંત હોટલની અંદર કામ કરનાર તેમજ દુકાન માલિકોને અને સેલ્સમેનને દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ કરાવવા પડશે.

લોકલ ટ્રેનમાં પ્રવાસ સંદર્ભે પ્રતિબંધો વધશે? નિર્ણય લેવા માટે આ કવાયત હાથ ધરવામાં આવશે. તેમજ આ સમય સુધીમાં નિર્ણય આવશે.

મહાનગરપાલિકાની યોજના એવી છે કે લોકોના સંપર્કમાં આવનાર વ્યક્તિઓના વારંવાર ટેસ્ટ કરવામાં આવે તો તેમનું સ્વાસ્થ્ય જળવાશે અને તેમના થકી તેમના ગ્રાહકોનું પણ સ્વાસ્થ્ય જળવાશે.

આજે લોકડાઉન ની તલવાર કોના પર ફરશે? મુંબઈ, પુના કે પછી નાગપુર?
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More