Site icon News Continuous Bureau | Mumbai

BMC: આ તારીખે થશે મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના પ્રસિદ્ધ; જાણો કયા સમયગાળા દરમિયાન નોંધાવી શકાશે વાંધા

BMC: મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે વોર્ડની પુનર્રચનાનો ડ્રાફ્ટ તૈયાર, લોકો અને રાજકીય પક્ષો પાસે ૨૮ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધીમાં વાંધા અને સૂચનો મંગાવાશે.

BMC આ તારીખે થશે મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના પ્રસિદ્ધ; જાણો કયા સમયગાળા દરમિયાન નોંધાવી શકાશે વાંધા

BMC આ તારીખે થશે મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના પ્રસિદ્ધ; જાણો કયા સમયગાળા દરમિયાન નોંધાવી શકાશે વાંધા

News Continuous Bureau | Mumbai

BMC: મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને, રાજ્ય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર વોર્ડની પુનર્રચનાનું કામ ચાલી રહ્યું છે. આ પુનર્રચનાનો નકશો તૈયાર કરીને નગર વિકાસ વિભાગ અને ચૂંટણી પંચને સુપરત કરવામાં આવ્યો છે. હવે, આ પુનર્રચના કરેલા વોર્ડના નકશા ૨૮ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન જાહેર કરીને લોકો અને રાજકીય પક્ષો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે.

Join Our WhatsApp Channel

વોર્ડની રચનાની જવાબદારી મનપા કમિશનરને સોંપાઈ

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડની રચના ૨૦૨૫ના સંદર્ભમાં તમામ સત્તાઓ મનપા કમિશનરને સોંપવામાં આવી છે. નિયમો અનુસાર, વોર્ડની રચના સરકાર દ્વારા રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી સાથે કરવામાં આવે છે. મુંબઈના કુલ ૨૨૭ વોર્ડની પ્રારૂપ રચના તૈયાર કરીને મનપા કમિશનર રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી લેશે, અને ત્યાર બાદ રાજ્ય ચૂંટણી કમિશનર આ રચનાને અંતિમ મંજૂરી આપશે. મુંબઈ મનપાએ ૫ ઓગસ્ટે પુનર્રચના કરેલા વોર્ડની યાદી નકશા સાથે નગર વિકાસ વિભાગ અને ચૂંટણી વિભાગને સુપરત કરી હતી. હવે ૧૮ ઓગસ્ટે આ વિભાગો પાસેથી સૂચનો મળ્યા બાદ ૨૨ ઓગસ્ટે આ વોર્ડની રચના સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : 79th Independence Day: ૭૯મા સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર ફરકાવ્યો તિરંગો, આટલા વિશેષ મહેમાનો આમંત્રિત

ગણેશોત્સવના સમયગાળા દરમિયાન જ વાંધા નોંધાવવાની તક

આ વર્ષે સૌથી અગત્યનો મુદ્દો એ છે કે વાંધા અને સૂચનો નોંધાવવાનો સમયગાળો ૨૮ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીનો છે. આ જ સમયગાળામાં એટલે કે ૨૭ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ગણેશોત્સવની પણ ઉજવણી થઈ રહી છે. આથી, એવો પ્રશ્ન ઊભો થયો છે કે તહેવારના માહોલમાં લોકો અને રાજકીય પક્ષો આ પ્રકાશન અંગે વાંધા અને સૂચનો કેવી રીતે નોંધાવશે. ગણેશોત્સવના દિવસોમાં જ વોર્ડની રચના પ્રસિદ્ધ થવાથી રાજકીય નેતાઓ, પૂર્વ કોર્પોરેટરો અને સંભવિત ઉમેદવારોનું ધ્યાન તહેવારને બદલે વોર્ડની રચના પર વધુ કેન્દ્રિત રહેશે. વાંધા અને સૂચનોનું નિવારણ મનપા કમિશનરના સ્તરે કરવામાં આવશે.

Mumbai Fake Mantralaya Officer Arrest| મુંબઈમાં મંત્રાલયના નકલી અધિકારી બની વૃદ્ધા સાથે ૬૦.૪૭ લાખની છેતરપિંડી, માલાડ પોલીસે આરોપીને દબોચ્યો
Navi Mumbai Airoli Molestation Case। રાહદારી મહિલાઓનો પીછો કરી અડપલાં કરનારો સ્કૂટર સવાર જેલના સળિયા પાછળ
Mumbai Anti Narcotics Cell Action। એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી રીઢી મહિલા ડ્રગ પેડલરની અટકાયત, નાશિક જેલમાં ધકેલાઈ
Mumbai Versova Dahisar Coastal Road। મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ૧,૨૦૦ વૃક્ષો કાપવા મંજૂરી, ૭૦૦ વૃક્ષોને પનવેલમાં રીપ્લાન્ટ કરાશે
Exit mobile version